________________
૬૬૦ ]
દર્શન અને ચિંતન
આપવીતી અને સ્વાનુભવ સ્વમુખથી, ભલે છૂટા છૂટો પણ, કહેલ છે અને તે સચવાયેલ છે, (જેમ કે મજિઝનિકાયના અરિયપરિયેસન, મહાસર્ચીક, સીહનાદ, મૂળદુÖÚન્ધ આદિ સુત્તોમાં તેમ જ અંગુત્તરનિકાય અને સુત્તનિપાત આદિમાં ) તેવા અને તેટલો બીજા કાઈના જીવનમાં વર્ણવાયેલા જોવા નથી મળતા. મુખ્ય પુરુષ વિશેની હકીકત શિષ્ય-પ્રશિષ્યા દ્વારા જાણવા મળે, તે યથાવત્ પણ હાય, તેાય તેનું મૂલ્ય જાતકથન કરતાં એણું જ છે, અને વધારે તે! નથી જ. જાતકથન યા સ્વાનુભવવનમાં, તે કહેનારના આત્માના તારા જે મધુરતા અને સંવાદથી ઝણઝણી ઊઠે છે તે મધુરતા અને સવાદ અન્ય દ્વારા પ્રાપ્ત થયેલ વર્ણનમાં ભાગ્યે જ સંભળાય. એ ખરું કે મુદ્દવનના અનેક પ્રસંગા એમના શિષ્ય-પ્રશિષ્યાએ નોંધી રાખ્યા છે, ભક્તિ અને અતિશયોક્તિને એમાં પુષ્કળ રંગ પણ છે; તેમ છતાં અનેક જીવનપ્રસંગેા એવા પણ છે કે જે બુદ્ધે પોતે જ કહ્યા છે અને આસપાસના સંદર્ભ તેમ જ 'તે કથનની સહજતા જોતાં એમાં જરાય શંકા નથી રહેતી કે તે તે પ્રસંગાનું વર્ણન મુદ્દે પાતે જ કરેલું છે. આ કંઈ જેવી તેવી વિશેષતા નથી. આજે, જ્યારે ચેામેર તટસ્થપણે લખાયેલ આત્મકથાનું મહત્ત્વ અંકાઈ રહ્યું છે ત્યારે, ૨૫૦૦ વર્ષ પહેલાંની એવી આત્મકથાને થાડા પણ વિશ્વસનીય ભાગ મળે તે તે, એ કહેનાર પુરુષની જેવી તેવી વિશેષતા લેખાવી ન જોઈ એ, કેમ કે એ સ્વાનુભવના વિશ્વસનીય થેડાક ઉદ્ગારા ઉપરથી પણ કહેનારના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરવાની સામગ્રી મળી જાય છે.
તથાગતની બીજી અને મહત્ત્વની વિશેષતા તેમની સત્યની અદમ્ય શોધ અને પ્રાણાન્તે પણ પીછેહઠ ન કરવાના સંકલ્પમાં રહેલી છે. ભારતમાં અને ભારત બહાર પણ અનેક સાચા સત્યશોધકે થયા છે, તેમણે પાતપાતાની શોધ દરમિયાન અહુ બહુ વેયુ પણ, પરંતુ તથાગતની તાલાવેલી અને ભૂમિકા એ જુદાં જ તરી આવે છે. જ્યારે એમણે હસતે મુખે માતા, પિતા, પત્ની આદિને વિલાપ કરતાં છેાડી, પ્રજિત થઈ, નીકળી જવાના અતિહાસિક સ કલ્પ કર્યો ત્યારે એમની પ્રાથમિક ધારણા શી હતી અને માનસિક ભૂમિકા શી હતી એ બધુ, તેમણે એક પછી એક છેાડેલ ચલુ સાધનામાર્ગ તેમ જ છેવટે અંતરમાંથી ઊગી આવેલ સમાધાનકારક માર્ગને વિચાર કરીએ છીએ ત્યારે, સ્પષ્ટપણે સમજાય છે. આધ્યાત્મિક શુદ્ધિ સિદ્ધ કરવાના ઉદ્દેશ યુદ્ધના હતા જ, પણ એવા ઉદ્દેશથી પ્રજિત થયેલાની સંખ્યા તે કાળે પણ નાની તુ હતી. જો મુદ્દતા માત્ર એટલા જ ઉદ્દેશ હાત તા તે સ્વીકારેલ એવા ચાલુ સાધનામાર્ગોમાં કયાંય તે કયાંય ઠરી ઠામ ખેસત, પરંતુ બુદ્ધને મહાન ઉદ્દેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org