________________
તથાગતની વિશિષ્ટતાને મમ
[ ૬૫૯
જ સાથે આખા ભારતમાં અને દુનિયાભરમાં ગુંજે એ એક નવા જમાનાની અપૂર્વ સિદ્ધિ જ છે.
જે બુદ્ધનું વ્યક્તિ આવું છે તે એ જાણવાની આકાંક્ષા સહેજે થઈ આવે છે કે બુદ્ધની એવી કઈ વિશેષતા છે, જે તેમને બીજા મહાન આધ્યાત્મિક પુરુષોથી જુદા તારવી આપે ? બુદ્ધના જીવનમાં, તેમના વિચાર અને આચારમાં, અનેક બાબતો એવી છે કે જે ઇતર મહાન ધર્મપષોના જીવનમાં અને વિચાર-આચારમાં પણ જોવા મળે છે. પણ થોડીક છતાં તરત નજરે તરી આવે એવી વિશેષતાઓ તે બુદ્ધના જીવમાં જ વંચાય છે. એ વિશેષતાઓને જે બરાબર સમજી લઈએ તે બુદ્ધના જીવનનું અને એમના વ્યક્તિત્વનું ખરું હાર્દ ધ્યાનમાં આવે. તેથી આ સ્થળે એ બાબત જ ડેક વિચાર દર્શાવવા ધાર્યો છે.
ક્ષત્રિયવંશમાં જન્મ, શ્રમણ થઈ ગૃહત્યાગ કરવો, કઠોર તપ કરવું, ધ્યાનની ભૂમિકાઓનો અભ્યાસ કરે, માર યા વાસનાને જીતી ધર્મોપદેશ કરો, સંધ રચે, યજ્ઞયાગાદિમાં થતી હિંસાનો વિરોધ, લોકભાષામાં સીધું સમજાય તે રીતે ઉપદેશ કરે અને ઉચ્ચનીચનો ભેદ ભૂલી લેકમાં સમાનપણે હળવું મળવું, ઈત્યાદિ બાબતને બુદ્ધની અસાધારણ વિશેષતા લેખી ન શકાય; કેમ કે એવી વિશેષતાઓ તે બુદ્ધના પૂર્વકાલીન, સમકાલીન અને ઉત્તરકાલીન અનેક ધર્મપ્રવર્તક પુરુષોમાં ઇતિહાસે નોંધી છે. એટલું જ નહિ, પણ એ વિશેષતાઓ પૈકી કઈ કઈ વિશેષતા તે બુદ્ધ કરતાં પણ વધારે સચોટરૂપે અન્ય ધર્મ પ્રવર્તક પુરુષમાં હેવાનું ઈતિહાસ કહે છે, અને છતાંય બીજા એકે ધર્મપ્રવર્તક પુરુષે બુદ્ધ જેવું વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું નથી. તેથી વળી બુદ્ધની અસાધારણ વિશેષતા જાણી લેવાની વૃત્તિ પ્રબળતમ થઈ આવે છે. આવી વિશેષતાઓ પૈકી કેટલીક આ રહી ઃ
છેલ્લાં ત્રણ હજાર વર્ષના ધાર્મિક અને આધ્યાત્મિક ઈતિહાસને જોઈએ છીએ તે જણાય છે કે એટલા દૂર ભૂતકાળમાં બુદ્ધ સિવાય બીજો કોઈએ મહાન પુરુષ નથી થયો કે જેણે સ્વમુખે પોતાની જીવનગાથા અને સાધનાકથા જ જાદે પ્રસંગે, જુદા જુદા પુરુષોને ઉદ્દેશી, સ્પષ્ટપણે કહી હોય અને તે આટલી વિશ્વસનીય રીતે સચવાઈ પણ હોય. દીર્ધતપસ્વી મહાવીર હોય કે જ્ઞાની સોક્રેટીસ હેય, કાઈટ હોય કે કૃષ્ણ હોય અથવા રામ જેવા અન્ય કોઈ માન્ય પુરૂષ હૈય–તે બધાની જીવન વાર્તા મળે છે ખરી, પણ બુદ્ધ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org