________________
૬૫૪ ]
દર્શન અને ચિંતન એ દશે દૃષ્ટાન્તોની યાદી છે. આ યાદી જૂની પરંપરાને સંગ્રહ માત્ર છે. એ પરંપરા કેટલી જૂની છે તે નક્કી કરવું સરલ નથી, પણ બૌદ્ધ ને જન પરંપરામાં જે આવા દાખલાઓનું સામ્ય દેખાય છે તે ઉપરથી એટલું તે નક્કી જ છે કે ઉપદેશકે અને વિદ્વાને આ દેશમાં જ્યાંત્યાં માનવજીવનની દર્લભતા સમજાવવા આવાં દૃષ્ટાન્ત યોજી કાઢતા અને તે દ્વારા સાધારણ લેકમાં આવાં દૃષ્ટાન્ત રમતાં થઈ જતાં. એકવાર કેઈએ એક દષ્ટાન્ત રચ્યું કે પછી તો તે ઉપરથી બીજાએ તેના જેવાં નવનવ દૃષ્ટાન્ત રચી કાઢતા. જૈન પરંપરામાં આજ લગી માત્ર તેવાં દશ દષ્ટાન્તો જ જાણીતાં છે, અને તેને ઉપયોગ ધાર્મિક પ્રદેશમાં બહુ થાય છે. માતૃચેટ કૂર્મગ્રીવા શબ્દ વાપરી કાચબાની ડોક સૂચવી છે, જ્યારે જૈન ગ્રન્થોમાં “સમીલા” શબ્દ વપરાયેલ છે, જેનો અર્થ છે સાંબેલું અર્થાત એક નાનકડે લાકડાને લાંબાશે ટક. યુગછિક શબ્દ બને પરંપરાઓના વાભયમાં સમાન છે. ભાવ એ છે કે મહાન સમુદ્રને એક છેડે ઘૂસણું તરતું મૂકવામાં આવે અને તદ્દન બીજે છેડે એક નાનકડો પાતળો ઠંડીકે. એ બે ક્યારેક અથડાય એ સંભવ જ પહેલાં તે ઓછે અને બહુ લાંબે કાળે તરંગોને કારણે અતિ વિશાળ સમુદ્રમાં પણ ક્યારેક ધૂંસરું અને એ લાકડું એકબીજાને અડકી જાય તોય ઘૂસરાના કાણામાં એ દંડીકાનું પરેવાવું અતિદુરસંભવ છે. છતાંય દુર્ઘટના ઘટનપટીયસી વિધિલીલા જેમ એ લાકડાને એ છેદમાં ક્યારેક પરેવી દે તેમ આ સંસારભ્રમણમાં માનવયોનિ એટલે લાંબે ગાળે અને તેટલી જ મુશ્કેલીથી સંભવે છે. માતૃચેટે કાણામાં દંડીકાને બદલે કાચબાની ડોક પરવાવાની વાત કહી છે તેને ભાવ પણ એ જ છે. બાકીનાં નવ દૃષ્ટાન્તો પણ એ જ ભાવ ઉપર ઘડાયેલાં છે.
માતૃચેટે ઝુવે નમતેતુ (. ૮) શબ્દથી બુદ્ધને નમસ્કાર કર્યો છે. અહીં વિચારવાનું એ પ્રાપ્ત છે કે સ્વયંભૂ શબ્દ બ્રાહ્મણ પરંપરા અને તેમાંય ખાસ પૌરાણિક પરંપરાનો છે. તેનો અર્થ તે પરંપરામાં એવો છે કે જે વિગણના નાભિકમળમાંથી માતાપિતા સિવાય જ આપમેળે જ તે બ્રહ્મા-કમલનિજ સ્વયંભૂ. બૌદ્ધ અને જૈન પરંપરા આવી કમળમાંથી સ્વયં જન્મની કલ્પનાને માનતી જ નથી. અલબત્ત, એ બન્ને પરંપરામાં સંચલઘુ અને સમારવુ જેવા શબ્દો છે, પણ તે શબ્દોનો અર્થ આપમેળે જ્ઞાનપ્રાપ્તિ” એટલે જ છે, નહિ કે આપમેળે જનમવું તે. છેક પ્રાચીન બૌદ્ધ અને જૈન વાલ્મમાં પિતાના અભિમત તીર્થ કરે વાસ્તે તેઓએ જિન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org