________________
દર્શન અને ચિંતન પણ છેવટે વન્ય પ્રાણીઓને અભયદાન દેવાની અને શિકાર છેડવાની વિનંતી છે. આ સાદસ્ય ભલે એકબીજાના પ્રસ્થાનુકરણરૂપે ન હોય, તેય એમાં ધાર્મિક પરંપરાની સમાનતાનો પડે સ્પષ્ટ છે જ. ગમે તેમ હોય, પણ અધ્યદ્ધશતક અને વીતરાગસ્તોત્ર એ બન્નેને પુનઃ પુનઃ પાઠ કરતાં મન ઉપર એવી છાપ તો પડે જ છે કે, હોય ન હોય પણ, હેમચંદ્ર સામે અદ્ધશતક કે બીજાં તેવાં જ સ્તોત્રો અવશ્ય હતાં. હેમચંદ્રનું બહુશ્રુતત્વ અને સર્વતોમુખી અવેલેકન અને તેને ગ્રન્થસંગ્રહરસ જોતાં એ કલ્પના સાવ નિમૂળ ભાગ્યે જ કહી શકાય. બીજા કેઈની સ્તુતિ કરતાં હેમચંદ્રના વીતરાગસ્તોત્ર સાથે અધ્યદ્ધશતકનો કેટલે વધારે બિંબ–પ્રતિબિંબભાવ છે એ જાણવું બહુ રસપ્રદ હોઈ તેની ટૂંકમાં સરખામણી કરવી અનેક દષ્ટિએ ઉપયોગી છે.
માટે બીજા કોઈમાં દોષનું અસ્તિત્વ બતાવ્યા સિવાય જ બુદ્ધને સ્તવતાં કહ્યું છે કે, જેનામાં કોઈ પણ દેશ છે જ નહિ અને જેનામાં સમગ્ર ગુણો જ છે તેને જ શરણે જવું, તેની જ સ્તુતિ કરવી, તેની જ ઉપાસના કરવી અને તેની જ આજ્ઞામાં રહેવું વાજબી છે—જે બુદ્ધિ હોય તો.
આ જ ભાવ હેમચંદ્ર સહેજ શૈલીભેદે વર્ણવ્યો છે. બીજામાં સંપૂર્ણ દે છે, જ્યારે તમ વીતરાગમાં બધા ગુણો જ છે. નાથ તરીકે તારે આશ્રય લઈએ છીએ, તને જ સ્તવીએ છીએ, તારી જ ઉપાસના કરીએ છીએ, તારા સિવાય અન્ય કોઈ ત્રાતા નથી."
માતચેટ બુદ્ધ વિશે કહે છે કે આ બુદ્ધને દોષ અને એના બીજસંસ્કારે કશું જ નથી. વળી હે સુગત, તેં દોષ ઉપર એવો સખત પ્રહાર કર્યો છે કે જેથી તે પિતાના ચિત્તમાં દોષના સંસ્કારને પણું બાકી રહેવા દીધા નથી. ४. अध्य.-सर्वदा सर्वथा सर्वे यस्य दोषा न सन्ति ह।
सर्वे सर्वाभिसारेण यत्र चावस्थिता गुणाः ॥1॥ तमेव शरणे गन्तु तं स्तोतुं तमुपासितुम ।
तस्यैव शासने स्थातुं न्याय्यं यद्यस्ति चेतना ।। २ ॥ ૫. વીત–સર્વે સર્વાનના જેવું રોષાઇ પુનર્ગળઃ || ૧૧, ૮.
त्वां प्रपद्यामहे नाथ त्वां स्तुमस्त्वामुपास्महे ।
त्वत्तो हि न परस्त्राता किमु ब्रूमः किमु कुर्महे ।। ६, ५॥ ૬. ગષ્ય-સવારના તે ઢોષ ન સચેવાય તાચિનઃ રૂ
तथा सर्वाभिसारेण दोषेषु प्रहृतं त्वया । यथैषामात्मसन्ताने वासनापि न शेषिता ॥ ३१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org