SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિકાર માતૃચેટ અને તેમનુ અધ્ય રાત ક [ ૬૩¢ * સમ્રાટ કનિષ્ક, જેના દરબારમાં કવિ અવધેષ હાવાનુ મનાય છે, તેણે માતૃચેટને પણ પોતાની રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ માતૃચેટે વૃદ્ધત્વને કારણે આવી ન શકવા બદલ ક્ષમા માગવાપૂર્વક એક પુત્ર વાખમાં કનિષ્કને લખ્યો હતો. એ પત્ર ટિખટન ભાષામાં અનુવાદિત થયેલ મળે છે અને તે · મહારાજ કણિકાલેખ ’ નામે સુપ્રસિદ્ધ છે. આ પત્રનું અંગ્રેજી ભાષાન્તર એક. ડબલ્યુ. થેામસ મહાશયે ઇડિયન એન્ટિકવેરી' ( ૭૨, ૧૯૦૩ પૃ. ૩૪૫ )માં પ્રસિદ્ધ કર્યું છે. આ પત્ર ૮૫ દ્યોનું એક લઘુકાવ્ય છે. :એ પઘોમાં બુદ્ધના આદેશ પ્રમાણે નૈતિક જીવન ગાળવાના ઉપદેશ મુખ્યપણે ગ્રચિત છે. કરુણાથી ઊભરાતાં એ પદ્યોમાં કવિ માતૃચેટ છેવટે સમ્રાટને બહુ જ ઉત્સુકતાથી નમ્ર વિનંતીપૂર્વક કહે છે કે તારે વન્ય પશુઓને અભયદાન આપવું અને શિકાર હોડી દેવા, સાતમા સૈકામાં જ્યારે ચીની યાત્રી ઇત્સિંગ ભારતમાં પ્રવાસ કરતા હતા, ત્યારે માતૃચેટની પ્રસિદ્ધ કવિ તરીકેની ખ્યાતિ હતી અને તેણે કરેલ બુદ્ધ-ાત્રા જ્યાંત્યાં સર્વત્ર ગવાતાં.. તે વખતે ઇ-સિંગે જે એક લેાકવાર્તા સાંભળેલી તે માતૃચેટની ખ્યાતિ પુરવાર કરી આપે છે. એકદા ખુદ્દ ભગવાન જંગલમાંધી પસાર થતા હતા ત્યારે એક બુલબુલે મધુર સ્વરમાં ગાવું શરૂ કર્યું; જાણે કે મુદ્દની જ સ્તુતિ કરતી હોય ! તે ઉપરથી મુદ્દે શિષ્યોને ભવિષ્યદ્રાણી કરી કહ્યું કે આ બુલબુલ અન્યદા માતૃચેટરૂપે અવતરશે. માતૃચેટની સૌથી વધારે પ્રસિદ્ધ સ્તુતિ એ છે : એક ચતુઃશતક, જેમાં ચારસો પદ્યો છે અને ખીજી સાર્ધશતક, જેમાં દોઢસા પદ્યો છે. આ બન્ને સ્તુતિના ખંડિત અવરોષો મધ્ય એશિયામાંથી મળેલ લિખિત ગ્રન્થામાંથી મળી આવ્યા છે. આ સ્તુતિએ સાદી તેમ જ અનલંકૃત કિન્તુ સુન્દર ભાષામાં રાયેલ શ્લોકબદ્ધ કૃતિઓ છે અને તે સ્તુતિઓની, ખાદ્ય આકારથી અસર થાય તે કરતાં તેમાં પ્રથિત પવિત્ર ભાવાની ધાર્મિકા ઉપર વધારે અસર થતી. આ વિશે ઇસિંગ કહે છે કે ભિક્ષુઓની પરિષદમાં માતૃચેટની ખન્ને સ્તુતિએ ગવાતી સાંભળવી એ એક સુખદ પ્રસંગ છે. વધારામાં તે કહે છે કે આ સ્તુતિઓની હૃદયહારિતા સ્વર્ગીય પુષ્પ સમાન છે, અને તે સ્તુતિઓમાં પ્રતિપાન કરેલ ઉચ્ચ સિદ્ધાન્તા ગૌરવમાં પર્વતનાં ઉન્નત શિખરોની સ્પી કરનારા છે. ભારતમાં જે સ્તુતિએ રચે છે તે બધા માતૃચેટને સાહિત્યને પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy