________________
૧૩૮ ]
દર્શન અને ચિંતન
કૃતિ
'
છેલ્લાં સેા વર્ષમાં થયેલા યુરોપિયન ગવેષકામાંથી એમ. એ. સ્ટીન મહાશયે ખુતાન( Khōtan )થી અને એ. ગ્રનવેરેલ તથા એ. વન લે કૈંગ એ એ મહાશયાએ તુરફાન ( Tufan ) માંથી ગ્રંથાવશેષો મેળવ્યા ન હોત અને તે અવશેષોનું પ્રકાશન પ્રે. સિવન લેવી વગેરેએ કર્યું' ન હેાત તે અસ્વધેષ તેમ જ માતૃચેટ વિષૅ યુરાપમાં ભાગ્યે જ કાઈ કાંઈ વિશેષ જાણવા પામ્યું હોત. અહીં માતૃચેટ અને તેની કૃતિ અશતક મુખ્યપણે પ્રસ્તુત છે. તેથી એને વિશે એ નિર્વિવાદપણે કહી શકાય કે માતૃચેટ અને અધ્યશતક વિશેની અત્યાર લગી જે માહિતી અને સાધનસમ્પત્તિ આપણને પ્રાપ્ત થાય છે, તેને પ્રધાન યશ ઉપર નિર્દેશલ સ્ટીન અને લેવી વગેરે મહાશાને જ ભાગે જાય છે. તેમના પછી તેા અનેક યુરોપિયન સ્કોલરોએ માતૃચેટ અને તેની જુદીજુદી વિશે અનેક પ્રયત્ના કર્યાં છે અને છેલ્લે ભારતીય વિદ્યાના અધ્યાપક વિન્તર્નિઅે પોતાની · હિસ્ટ્રી ઑફ ઈંડિયન લિટ્રેચર ’ના ખીજા ભાગમાં માતૃચેટ અને અધ્ય શતક વિશે પર્યાપ્ત માહિતી આપી છે. આ બધું છતાં જે ભગીરથપ્રયત્ની ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયને ૧૯૨૬ની બીજીવારની ટિમેટ યાત્રા વખતે સા-કથા (Sa–skya) નામના ટિમ્બેટન વિહારમાંની પાણો ઇંચ ધૂળથી રંગાયેલ ઉપેક્ષિતપ્રાય ભારતીય જ્ઞાન-સ ંપત્તિ ઉપર હસ્તસ્પા કર્યાં ન હત, તો આજે જે મૂળ સંસ્કૃત રૂપમાં જ પૂર્ણ અધ્ય શતક આપણને સુલભ થયું છે તે થયું ન હેાત અને અય્યદું શતકના ટિબેટન તેમ જ ચાઇનીઝ અનુવાદો -ઉપરથી અને તુરાનમાંથી પ્રાપ્ત થયેલ ખડિત ભાગાના અપૂર્ણ અનુસ ંધાન પરથી જ તે વિશે યુરોપિયન સ્કૉલરોએ જે કાંઈ લખ્યું છે તે દ્વારા જ જાણવાનું રહેત. સસ્કૃતના અભ્યાસી આપણે ભારતીય આજે માતૃચેટની મૂળ સંસ્કૃત કૃતિને વાંચવા સમજવા તે વિચારવા સમ થયા છીએ તેને એકમાત્ર યશ ભિક્ષુ રાહુલ સાંકૃત્યાયનને જ ભાગે જાય છે.
માતૃચેટને પશ્ચિય
માતૃચેટનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા, વિદ્યા અને દીક્ષાગુરુ તેમ જ શિષ્યપરિવાર આદિ વિશે હજી લગી કશું જાણવા મળ્યું નથી. તેમના વિશે અત્યારે જે કાંઈ થોડી માહિતી આપવી શક્ય છે, તે પ્રો. વિન્તર્નિઝના લખાણને આધારે જ. તેથી અહી... એ લખાણુને આવશ્યક સારભાગ
આપવા પ્રાપ્ત છે.
૧. A History of Indian Literature, Vol II ની પ્રસ્તાવના, પૃ. ૯, ર, જુએ, એજન, પૃ. ૨૬૯ થી ૨૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org