SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાધર્મ'નુ પરિશીલન [ ૬૩૫. ક કરવું પણ ફળમાં આસક્તિ ન રાખવી, એ વિષય જ ગીતાના મુખ્ય પ્રતિપાદ્ય છે. આ વિષય ઉપસ્થિત કેવી રીતે થયા એ ખાસ વિચારણીય છે. પ્રવૃત્તિમાર્ગ જેમ બહુ જૂને છે તેમ તે સજન-સાધારણ છે અને જીવન માટે અનિવાય પણ છે. હરકેાઈ પ્રવૃત્તિ કરે છે તે કાંઈ ને કાંઈ કળેચ્છાથી જ કરે છે. સામાન્ય અનુભવ જ એવા છે કે જ્યારે પોતાની ઇચ્છામાં બાધા આવતી દેખાય ત્યારે તે બધાકારી સામે ઊકળી જાય છે, અધીરા બને છે અને અધીરાઈમાંથી વિધિ અને વૈરનું બીજ રેશપાય છે. અધીરેશ માણસ જ્યારે અકળામણ અને મૂંઝવણને ભાર સહી નથી શકતા ત્યારે તે શાંતિ માટે ઝંખે છે અને છેવટે એને સ્થૂળ દૃષ્ટિએ એમ જ લાગે છે કે આ પ્રવૃત્તિની ધૂંસરી, કામના બંધન અને ચાલુ વનની જવાબદારીથી છૂછ્યું તો જ શાંતિ મળે. આ માનસિક વ્રુત્તિમાંથી નિવૃત્તિમાર્ગ જન્મ્યા. દેખીતી રીતે તે નિવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિના ખાજો એછે થવાથી શાંતિ એક રીતે જણાઈ, પણ જીવનના ઊંડા વિચાર કર્યા વિના સ્થૂળ નિવૃત્તિમાર્ગ તરફ વળનારને મોટા સંધ ઊભા થતાં અને તે સધ દ્વારા નિવૃત્તિજન્ય વિશેષતાના લાભા સમાજમાં પ્રતિષ્ઠિત થતાં પ્રવૃત્તિમાં પડેલા લેાકેાના મનમાં નિવૃત્તિ પ્રત્યે આદર પાષાયા અને નિવૃત્તિગામી સાથી દેશ વ્યાપી ગયા, ઊભરાઈ ગયા. ધીમે ધીમે એ નિવૃત્તિગામી સધા નબાવવા માટે પણ પ્રવૃત્તિશીલ લેાકા ઉપર એક જાતના ખાજો વધ્યા. સામાન્ય માણસ નિવૃત્તિને નકામી ગણી શકે નહિ અને પ્રવૃત્તિમાં રસ લઈ શકે નહિ એવી સદ્બિ સ્થિતિ આખા દેશમાં ઊભી થઈ. આમાંથી સામસામે બે છાવણીએ પણ ગાવાઈ. પ્રવૃત્તિમાગી નિવૃત્તિમાને અને નિવૃત્તિમાર્ગી પ્રવૃત્તિમાને વગાવે એવું કલુષિત વાતાવરણ ઊભું થયું અને કુટુંબના, સમાજના, રાજકરણના તેમ જ નીતિ અને અને લગતા બધા જ પ્રશ્નોને એ વાતાવરણે પ્રસ્યું. આ સંધષ એટલે સુધી વધ્યે કે કુટુ કુટુંબમાં જીવવા છતાં, સમાજમાં રહેવા છતાં, રાજ્યની છાયામાં રહેવા છતાં તેની સાથે પેાતાને લગવાડ નથી એમ માનતા થયા અને અકુહુંખી હોય તે પણ કુટુંબીના વૈભવથી જરાય ઊતરતા રહેવામાં નાનમ માનતા થયા. આવી વસ્તુસ્થિતિમાંથી જ આખરે અનાસક્ત કમ યાગના વિચાર જન્મ્યા અને તે ચર્ચાતા, સ્પષ્ટ થતા એટલી હદ સુધી વિકસ્યા કે ગીતાના પ્રણેતામાં તે પૂર્ણપણે, સોળે કળાએ અવતર્યાં. આ વિચારે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાતા સંધષ ટાઢ્યો. પ્રવૃત્તિનું ઝેર અને નિવૃત્તિનું આલસ્ય. અને આનાથી ટળે છે, એ જ એની વિશિષ્ટતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy