SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એ ભાવ ભારતના લેહીમાં જડાયેલે છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગને ઉદય થયે છે, એ માર્ગ વિકસ્યો પણ છે. પરંતુ એ નિતિ પિતાને બેજે બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિને અર્થ એથી ઊલટે થો જોઈએ. બીજાનો બેજ ઊંચકી બીજાને આરામ આપો, રાહત આપવી; અને એમ ન થાય ત્યાં પિતાને બોજ તે બીજાના પર નાખવો જ નહિ, એ નિવૃત્તિ હોવી જોઈએ. એનાથી જ અનાસક્ત કર્મગનો પાયે નાખી શકાય. નંદીસત્ર નામના જૈન આગમમાં ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન છે. કામ કરવાના અનુભવથી ઘડાતી બુદ્ધિ કર્મ જા; અનુભવવૃદ્ધની પરિચર્યા-સેવાથી નીપજનારી બુદ્ધિ નયિકી; ઉંમરના પરિપાકને લીલે પરિપક્વ થનાર બુદ્ધિ પારિણીમકી અને અવનવી સમસ્યાઓ ઉપસ્થિત થતા વેંત તેને તત્કાલ ઉકેલ કરવા માટે પ્રકટ થતી સૂઝ તે ઔત્પત્તિકી કહેવાય છે. ગાંધીજીમાં આ ચાર બુદ્ધિઓને વિરલ યુગ હતે એ તે સૌ જાણે છે, પણ તેમને વારસ તેમના જ કેટલાક ગણધર શિષ્યોને મળ્યો છે. મારી દૃષ્ટિએ તેમાં કાકાનું અચૂક સ્થાન છે. આ વસ્તુની પ્રતીતિ તેમનાં અન્ય લખાણની પેઠે ગીતાધર્મ” વાંચતાં જ વાચકને થઈ જાય છે. એમ તે શ્રદ્ધેય ધર્મગ્રંથ લેખે અનેક શ્રદ્ધાળુઓ ગીતાને શબ્દપાઠ કરે જ છે અને કેટલાક વિશેષ જિજ્ઞાસુઓ અને સમજદાર તેના અર્થોનું અનેક રીતે ચિંતન-મનન પણ કરે છે, પણ મને લાગે છે કે ગુજરાતી સમજનારા વાચકે પ્રસ્તુત ગીતાધર્મનું ડું થોડું પણ નિયમિત વાચન-ચિંતન કરે તો ગીતા સમગ્રના અધ્યયનનું ફળ તેમને મળવાનું જ અને વધારામાં ગીતાને સમજવાની અનેક ચાવીઓ પણ લાધવાની. આ નાનકડું પુસ્તક શ્રદ્ધાળુ અને સમાચક બંનેને એકસરખું ઉપયોગી થાય એવું હોવાથી તે પાઠયધર્મગ્રંથનું સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. ગમે તેટલા વ્યાખ્યાનકારોએ ગીતાને આશ્રય લઈ પિતાનાં વિવેચનને પૂર્ણ બનાવવા પ્રયત્ન કર્યો હોય, છતાં ગીતા એ ચિંતન-ભાવનાપ્રેરક પૂર્ણ ગ્રંથ લાગે છે કે બધી પૂર્ણ વ્યાખ્યાઓ છતાં તેની પૂર્ણતા કાયમ જ રહે છે. “ચ પૂfમારા પૂર્નમેવાવચિતે એ ઔપનિષદ-વચન ગીતાની બાબતમાં પણ યથાર્થ છે. –સંસ્કૃતિ, એપ્રિલ ૧૫૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy