________________
૬૩૪ ]
દર્શન અને ચિત્તન
ચેતવણી છેવટે પુત્રપૌત્રાના બંગલામાં જ વાનપ્રસ્થ જીવન ગાળવા સુધી પરિણમી. એ જ સ્થિતિ સન્યાસીની થઈ. તે નિયતાની મૂર્તિ મઢી ભયથી રક્ષણ માટે આશા શાધતાં શોધતાં ગૃહસ્થના સગા ભાઈ બની ગયા. આજે શ્રમણ, ભિક્ષુ કે વૈદિક સંન્યાસી દરેકની આ સ્થિતિ છે. તેથી જ ચારે આશ્રમમાં નિર્ભયતાનું તત્ત્વ દાખલ કરી તેના આધુનિક દૃષ્ટિએ ઉપયોગ કાકાએ સૂચવ્યેા છે તે વેળાસરનું જ છે.
વજ્રપાત્ર, ખાનપાન, ઔષધઆરામ આદિની બાબતમાં સર્વથા પવલખન ન રહે અને આત્માવલંબન વધવા સાથે આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે એ દૃષ્ટિથી બુદ્ધ, મહાવીર વગેરેએ ભિક્ષુકા માટે નિયમો ધડવા છે. હવે એ નિયમેા કળિયુગના કળણમાં પડી એટલા બધા સડી ગયા છે કે તે નિયમેન પ્રાણ ચાલો ગયા અને નિષ્પ્રાણ નિયમ પાળનારા ભિક્ષુ છેવટે ગૃહસ્થાના ગુલામ બની ગયા છે. તેથી નિર્દેયતાની સૂચના એ એછામાં ઓછું ભિક્ષુજીવન માટે તો પ્રાણપાષક જ છે. જો એવી પ્રાણનિરપેક્ષ નિર્ભયતા ન હોય તે અહેતર છે કે ભિક્ષુરૂપે ગુલામ ન બનવું.
કે, જીવનયાગ, શાત્રમાનમ્ અને ક્લાનાસક્તિ તથા બ્રહ્મચર્ય જેવા માત્ર આધ્યાત્મિક અને વ્યક્તિગત જેવા દેખાતા વિષયાને સમષ્ટિની દૃષ્ટિએ જે રીતે ચર્ચ્યા છે તે રીત જ ખરી રીતે વ્યક્તિ અને સમાજ અનેે માટે લાભદાયક છે. એટલે આ ચર્ચા સામાજિક ધની નિરૂપક છે.
આધ્યાત્મિકતા એટલે વ્યક્તિગત જીવનમાં રહેલાં છે, વાસના અને કુસંસ્કારોને નિવારવાં અને સામાજિક વનના પ્રવાહમાં તે આધ્યાત્મિકતાના પદ્મા પાડવા તે. જો વ્યક્તિ પેાતાના અંગત જીવનની ભૂમિકા તૈયાર કરવામાં પડે અને સામાજિક વનના પ્રવાહની કસોટીએ પેાતાના જીવનને ન સે તે એણે કરેલી સાધના અને આદરેલી તપસ્યા નક્કર છે કે પાકળ છે એની ખાતરી શી રીતે થાય ? જેમ બાળક, કુમાર કે તરુણ ભણે છે ત્યારે પોતાની અમુક જાતની તૈયારી કરે છે, પણ તે આગળ જતાં એ તૈયારીના ઉપયોગ કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રે કરે છે ત્યારે જ તેનું ભણતર કેવુ છે એની ખાતરી તેને અને અન્યને થાય છે. તે જ રીતે આધ્યાત્મિકતાના સંસ્કારીની બાબતમાં પણ વિચારવું ધરે. સામાજિક જીવનમાં ઉપયોગ કરાયા ન હોય તે થાણે અંશે કેળવેલા ગુણા પણ તે માણસને આત્મવિશ્વાસનું પૂ ખળ આપી નથી શકતા અને તેની વાણી તેટલે અંશે મક્કમ કે અસરકારક બનતી પણ નથી. તેથી જે મેળવવું કે જે કેળવવું તેના ઉપયાગ વ્યાપક રીતે કરવામાં જ તેની મૃતાતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org