SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ “ગીતાધર્મ”નુ રિશીલન [ ૬૩૩ સમાજના હિતની દૃષ્ટિએ તેની વ્યવસ્થારૂપે સમન કર્યું" છે; જ્યારે ખીજી આજીથી તેમનુ સમર્થન એટલાં બધાં નવાં દ્વારા ખુલ્લાં કરે છે કે તેને લીધે જૂનાં ખુદ્દાર ખાખામાં આજ સુધી દાખલ થતાં અટકેલા આવશ્યક પ્રકાશ સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. એટલે કાકા ચાતુÖણ્યના નિષ્પ્રાણ જેવા સામાજિક ખાખામાં અત્યાર લગી લાભદાયક સિદ્ધ થયેલ સામાજિક તત્ત્વોના પ્રાણને માકળાશ કરી આપે છે. ઘણાને આ નિરૂપણ જૂની બાટલીમાં નવા દારૂ ભરવા જેવું લાગે, પણ એમણે જે રીતે નવા પ્રાણને નવા દારૂ ભરવાની સૂચના કરી છે તે રીત જ એવી છે કે છેવટે એ જૂની આટલી જ કાઈ અણુધારી સસાયનિક પ્રક્રિયાથી લાંબે કાળે સાવ નવા રૂપમાં ફેરવાઈ જાય. સૌથી ચડિયાતા ગણાતા અને પોતાને ચડિયાતા માનતા બ્રાહ્મણ વણુ અને સૌથી ઊતરતા ગણાતા અને પોતાને ઊતરતા માનતા દ્ર વર્ણ વચ્ચે જો કાકાની દૃષ્ટિ પ્રમાણે ભેદ હશે ! તે કામકાજ અને ફરજ પૂરતા જ. એ ઉપરાંત એમાં આજ લગી જે ઊંચનીચપણાનુ` કે સ્પર્શોપની ભાવનાનું ઝેર એકત્ર થયું છે. તે રહેવાનુ જ નથી. શ્ત્ર અને વૈશ્ય પણ પોતાની ફરજ અદા કરે એટલે અમુક વર્ણની આગવી ગણાતી વેદ ઉપનિષદ આદિ સંપત્તિના અધિકારી બની શકશે; જ્યારે બ્રાહ્મણુ પણ પોતાની નિયત ફરજ બજાવવા સાથે શૂદ્રનાં ગણાય એવાં કામેા કરવા છતાં પ્રતિષ્ઠિત લેખાશે. આશ્રમવ્યવસ્થા વિશેને લેખ એ દૃષ્ટિ અર્પે છે. પ્રથમ આશ્રમવ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, વિકસી અને તેના શા ઉપયાગ હતા તે જોવાની સ્માત ઐતિહાસિક દૃષ્ટિ. બીજી દૃષ્ટિ એટલે હવે એ આશ્રમવ્યવસ્થા કઈ રીતે વિકસાવવી, બદલાયેલા સંજોગામાં તેને કેવા ઉપયોગ કરવા એ બતાવવાની છે. આ દૃષ્ટિએ આકષ ક અને ઉપયોગી રીતે રજૂ થઈ છે. એમાં બહુશ્રુતત્વ સાથે સ્વાનુભવ રસાયેલા હોવાથી આખા લેખ વિચારપૂત અન્યા છે. ગૃહસ્થાશ્રમ હો કે બ્રહ્મચર્યાશ્રમ, સંન્યાસ હા કે વાનપ્રસ્થ, એ બધામાં નિબંળ માટે જે સાવધાની રાખવાના અપવાદો સ્મૃતિમાં છે તે અપવાદો ઉત્સગ અની જતાં વસ્તુતઃ ચારે આશ્રમનું ખાખું ભયાવિષ્ટ બની ગયું છે. બ્રહ્મચારી નવા પ્રયાગે ને સાહસેા કરતાં જીવના જોખમથી ડરે તે એના બ્રહ્મચય ના અથશે ? નવ વિદ્યા અને નવ તત્ત્વ શોધાય કેવી રીતે ? ગૃહસ્થ પણ ફૂંકી ફૂંકીને પગ માંડે તો ખાપના કૂવામાં ડૂબી જ મરે! કળિયુગ છે માટે અમુક અપવાદ જોઈ એ. જંગલમાં ધ`રક્ષા કળિયુગમાં કાણુ કરે ? તેથી નગરા અને ઉપવનને જ જંગલ માની કળિયુગમાં નિવૃત્તિ સેવવાના પ્રારંભ કરવા એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy