________________
૨૩૦ ].
દર્શન અને ચિંતન * અહિંસાની ચર્ચા એટલી બધી વ્યાપક અને સર્વાગીણ તેમ જ હૃદયસ્પશી છે કે તેમાં કાંઈ ઉમેરવું એ મિથ્યા ડહાપણ જેવું છે. એને હૃદયંગમ કરવામાં જ એનું ખરું મૂલ્યાંકન છે. એમ તે આ ચર્ચામાંથી પ્રત્યેક વસ્તુ મનને પકડી લે છે, છતાં કેટલીક ઉપમાઓ અને દાખલા સામાન્ય છતાં અસાધારણ રીતે મનને જીતનારાં છે.
બ્રહ્મ એટલે આત્મા કે એવું કંઈ ફૂટસ્થ અથવા અપરિણામી તત્વ મનાય છે. એ તવ મૂળમાં ગમે તેવું હોય છતાં એને જીવનગત અને અનુભવસિદ્ધ અર્થ અહિંસા જ છે. હું સર્વત્ર અને સૌમાં છું અને સૌ મારામાં છે અગર તે બધાં સમાન છીએ એ ભાવના કે ધારણ વિના અહિંસા કદી યથાર્થ સિદ્ધ થતી જ નથી. એવી ભાવના વસ્તુતઃ જીવે છે કે મરવાને વાંકે જીવે છે, એની પરીક્ષા અહિંસાની કટીથી જ થઈ શકે છે. અહિંસાના આચાર વિનાને બ્રહ્મવિચાર કે આત્મવિચાર એ માત્ર શુષ્કવાદ છે. તેથી અહિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાય એટલે સમાનાર્થી શબ્દો છે. આથી આપણે જોઈએ છીએ કે આચારાંગમાં સમગ્રપણે અહિંસાની સાધના ઉપર ભાર દેવા છે અને તે જ સાધનાને બ્રહ્મચર્ય કહેલ છે. - દયા અને અહિંસા બંનેનો મૂળ આધાર અગર પ્રેમ જ છે તે ગીતામાં એ બંને ગુણો જુદા કેમ નિર્દેશ્યા ? એ પ્રશ્નનો ઉત્તર કાકાએ જાણીને જ આપ્યું ન હોય એમ લાગે છે–એમ સમજીને કે એ વસ્તુ બહુ ચેખી છે. કેઈનું સુખ કે જીવન ન હરવું એ પ્રેમની નિષેધ બાજુ અહિંસા છે,
જ્યારે દયા એ તેની ભાવાત્મક બાજુ છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું કે પિતાના સુખમાં બીજાને ભાગીદાર બનાવવા કાંઈ કરી છૂટવું એ દયા છે. એક જ સિક્કાની બે બાજુ છે. સાચી અહિંસામાં દયા અને સાચી દયામાં અહિંસા ન સમાય એમ બને જ નહિ; પણ વ્યવહારમાં ફેડ પાડે જરૂરી હોવાથી ગીતાકારની પેઠે કાકાએ પ્રેમની તે બંને બાજુનું આચારપક્વ વિચાર દ્વારા સમાજદૃષ્ટિએ નેખું નોખું નિરૂપણ કર્યું છે.
કાકાએ “ગીતામાં હિંસા કે અહિંસા ?” એ મથાળા નીચે એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. તેમાં પિતે પ્રથમ હિંસાની તરફેણ કરનાર હતા અને પછી ક્રમે ક્રમે અહિંસાના તરફદાર અને સમર્થક કેમ થયા એને ૧૯૦૪થી આગળને પરિવર્તન-ક્રમ દર્શાવ્યો છે તે કાંઈ સાધારણ મહત્ત્વને નથી. ગીતામાં હિંસાનું વિધાન છે એ સંસ્કાર મેટેભાગે આપણા બધામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org