________________
ગીતાધર્મનું પરિશીલન
[૨૯. ની ભાવના વધારે વિકસાવી કે સ્થિર કરી શકાતી નથી. જે વ્યક્તિ એકવાર ઘણું પ્રત્યે ઉપદ્રવકારી વ્યવહાર કરતી હોય છે તે જ વ્યક્તિ સાચી સમજણ. પ્રગટતાં તેથીયે વધારે પ્રતિ નિરુપદ્રવ જીવનવ્યવહાર કેળવે છે તેવું આપણે આપણુ જ જીવનમાં જોઈએ છીએ.
પ્રેમતત્વના વિકાસ અને વિસ્તારમાં બાધા નાંખે એવી વૃત્તિઓ પણ જીવનમાં પડેલી છે. સ્વાર્થ, ક્રોધ આદિ ઘણીવાર પ્રેમતત્વને વિકસવામાં આડે આવે છે; પણ બારીકીથી જોઈશું તે એ લેભ અને ક્રોધ જેવી વિરોધી વૃત્તિઓના મૂળમાં પણ વસ્તુતઃ પ્રેમનો અંશ પડેલે હોય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયું એટલે તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં તેની આડે આવતાં તર પ્રત્યે આપણે છેડાઈ જઈએ છીએ. આવે વખતે ધીરજ અને સમજણ કેળવવામાં આવે તો એક વસ્તુ પ્રત્યે એટેલ પ્રેમને આગ વિધી દેખાતાં ત પ્રત્યે ક્રોધ કે આવેશનું રૂપ ધારણ ન કરતાં પ્રેમરૂપમાં કે સમત્વમાં જ બદલાઈ જાય. ત્રષિઓએ અને સાધકેએ આ કળા જીવનમાં પણ દર્શાવેલી છે.
વળી, બીજી રીતે જોઈએ તે, પ્રેમતત્વ એ સત્ય, શિવ અને સુન્દર છે. જેની પૂરી કસોટી ન થાય, જેને મૂળથી ઉખડી જવાને-અસત થઈ જવાનેપ્રસંગ ન આવે, જેમાં વિકૃતિ થવાની વેળા ન આવે અને જેનું ડહોળાયું કરનાર પ્રસંગે જ ન આવે અને આ બધું આવે ત્યારે જે પિતાનું સત્ય, શિવ, સુન્દર સ્વરૂપે પ્રગટ કરી ન શકે, સાચવી ન શકે, વધારી ન શકે તે વસ્તુ સત્ય, શિવ, સુન્દર છે એમ કહી જ ન શકાય. ગમે તેવા ઝંઝાવાત વચ્ચે પણ જે પોતાનું મૂળ સ્વરૂપ અખંડિત રાખી શકે, વિકસાવી ને વિસ્તારી શકે તે જ સત્ય, શિવ અને સુન્દર છે. આ દૃષ્ટિએ જોતાં લેભ, ક્રોધ જેવી વૃત્તિઓની સખત કસોટીમાંથી ક્ષેમંકર રીતે પસાર થવામાં જ પ્રેમનું પ્રમત્વ છે અને એમાં જ સામાજિક જીવનની ચરમ સીમા છે.
બુદ્ધ, મહાવીર, ક્રાઈસ્ટ કે ગાંધીજી જેવાનાં સંવેદને જોતાં ખે અનુભવ થાય કે એમણે એવી આકરી કસોટીમાંથી જ પોતાના પ્રેમતત્વને વિકાસ ને વિસ્તાર કર્યો છે.
કાકાએ દયાની ચર્ચામાં અનેક દૃષ્ટિબિંદુથી મહત્વને વિચાર કર્યો છે. બહુ વિચાર કરતાં એમ લાગે છે દયાના મૂલાધાર પ્રેમતત્વમાં જ બાકીના બધા સદ્દગુણેને સમાવેશ થઈ જાય છે, અથવા એમ કહે કે બીજા સદન ગુણે એ પ્રેમબીજનાં અંકુર, પલ્લવ અને પત્ર જેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org