________________
૬૨૪]
દર્શન અને ચિંતન જેવા લાગવા છતાં તેનું પ્રેરક બળ અસાધારણ છે. તપ અને યજ્ઞ વચ્ચેનું તારતમ્ય પણ તેમણે એક સુંદર દાખલાથી સમજાવ્યું છે. “કૂવામાંનું પાણી હાથથી પંપ ચલાવીને ઉપલા માળ ઉપરની ટાંકીમાં લઈ જવું એ થયું તપઉપર આવેલી ટાંકીની સગવડને લીધે ઘરમાં જ્યાં જોઈએ ત્યાં અને જોઈએ તેટલું પાણે વાપરવું અને ફુવારાઓ ઉડાડવા એ ભંગ થયો. આમ ઉપરથી નીચે આવેલા પાણીને ફરીથી શુદ્ધ કરી તેને પાછું પંપ વડે ટાંકી સુધી ચઢાવવું અથવા પહોંચાડવું એ થયે યજ્ઞ.” સામાન્ય રીતે દાન અને ત્યાગ એ બને શબ્દ પર્યાય ગણાય છે, પણ એ બેમાં સૂક્ષ્મ અંતર શું છે તે કાકાએ દર્શાવ્યું છે અને બન્નેની વેધક ચર્ચા કરી છે.
અપશુનનું સામાજિક મૂલ્યાંકન કરતી વખતે કાકાએ પશુન્ય એટલે શું તેની ચર્ચા કરી છે. તેમાં જે ચામડી વિનાના શરીર સાથે માણસોના આંતરિક આળી વૃત્તિવાળા મનની સરખામણી કરી છે તે કાકાનું ઉપનાકૌશલ દર્શાવવા ઉપરાંત ભારે સુચક છે. પિશુન માણસને શાસ્ત્રમાં મÍવિધુ કહ્યો છે. “મમંવિધૂ” શબ્દને ખરે ભાવ આ ઉપમા દ્વારા વ્યક્ત થયું છે. ગુરશિષ્યના સંબંધની જે વિગતથી માહિતી આપી છે તે જાતઅનુભવી હોય તેવી અસંદિગ્ધ છે. કેળવણી ગુલામ સજેવા કે માણસ-યંત્ર નિર્માણ કરવા નથી એ તેમનું કથન કેળવણશાસ્ત્રનું મહત્વ રહસ્ય છે અને તે સાચા કેળવણીકારના અનુભવમાંથી આપમેળે સરેલું હોય તેવું છે. અંતેવાસી, છાત્ર જેવા જે શબ્દો વિદ્યાર્થી માટે પ્રસિદ્ધ છે તે કયા વાતાવરણમાંથી, કઈ ભાવનામાંથી અને કયા હેતુથી જાય છે તેનું સ્પષ્ટીકરણ આ ચર્ચામાં છે. વધારેમાં વધારે જ્યાં નિકટને સંબંધ હોય ત્યાં જ ગુણ કે દોષ જાણવાપકડવાની તક હોય છે. આવી તક બીજા કોઈ પણ સંબંધ કરતાં ગુરુશિષ્યના સંબંધમાં વધારે પ્રમાણમાં હોય છે, એટલે ગુરુ પિતે શિષ્યને દેકાવારક અર્થ માં છાત્ર સમજે અને કહે તો તે યુત જ ગણાય. આ વસ્તુ તૈત્તિરીય ઉપનિષદમાં, જ્યાં ગુરુ વિદ્યાર્થીને સમાવતને વખતે શિક્ષા આપે છે ત્યાં કહેવાઈ પણ છે. ગુરુ કહે છે: “અમારાં સુચરિત ગ્રહણ કરજે, અન્ય નહિ.” આ કેવું નગ્ન સત્ય છે ! કોઈ નેકર માલિકને છેડી જાય કે કમને વિદાય લેતા હોય ત્યારે જે તે નોકર ખરેખર પરિચારક અને પારિવાશ્વિક હોય તે માલિક તેને વિદાય આપતી વખતે શું એવું જ ન કહે? એક કે બીજે કારણે બે મિત્રો વચ્ચે અંતર ઊભું થતાં તેઓ પરસ્પર સ્ટા પડે. ત્યારે બંને એકબીજા પાસેથી શી આશા રાખે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org