________________
ગીતાધર્મનું પરિશીલન
[ ૬૨૩ દેહગત વાસનાઓને કાબૂમાં લઈ રેવાને માટે જે આત્મિક શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ શમ-દમ નામ આપેલું છે. શમ અને દમ બન્નેમાંથી પહેલાં શેના ઉપર ભાર આપવો એને ખુલાસો પણ સ્વાભાવિક જ છેઃ “બાહ્ય કે બદલવાથી સ્વભાવ આપોઆપ બદલાય છે એ સાચું, અને એ વાત પણ ખરી કે સ્વભાવમાં ફેરફાર થવાથી ટેવોને નવું વલણ મળ્યા વિના રહેતું નથી. એટલે સાધકોએ અને સમાજના આગેવાનોએ બંને બાજુથી શરૂઆત કરવી જોઈએ.”
છઠ્ઠા પ્રકરણમાં તેજની વિશદ ચર્ચા કર્યા પછી કાકાએ સાતમા પ્રકરણમાં યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણેની એકસાથે મીમાંસા કરી છે. આપણે બધા જ તપનો રૂઢ અર્થ જાણીએ છીએ. ભારતમાં તપના જેટલા પ્રયોગ થયા છે અને જેટલા કાળથી તેનાં વિવિધ સ્વરૂપે ખીલતાં ખીલતાં છેવટે તે બહુરૂપી બન્યું છે તેને ઈતિહાસ ભારતીય વાડમયમાં અને ભારતીય બધી ધર્મપરંપરાઓમાં જીવિત છે. એક રીતે ભારતને તપોભૂમિ કહી શકાય. કઠણમાં કઠણ તપથી માંડી સહેલામાં સહેલા અને વધારેમાં વધારે સગવડકારક તપની સૃષ્ટિ ભારતીય જીવનમાં વ્યાપેલી છે, તેમ છતાં અનેક બાબતોમાં ભારતીય સમાજની પામરતા જાણીતી છે. આનું મૂળ કારણ પકડી કાકાએ તપને અર્થ એવી રીતે વિસ્તાર્યો છે કે તે તેના બાહ્ય બહુરૂપી પણાને સજીવ બનાવી શકે. તપની વ્યાપક વ્યાખ્યા હરકોઈ વાચકના ધ્યાનમાં સહે. લાઈથી ઊતરી શકે તે માટે તેમણે પિતાના પૌરાણિક જ્ઞાનસંગ્રહમાંથી ગંગાને હિમાલયથી નીચે આણનાર જશ્નને દાખલો બહુ જ આકર્ષક રીતે ટાંક્યો છે અને બીજા પણ દાખલા સૂચવ્યા છે.
વિચારના વિકાસ સાથે જ આચારનો વિકાસ થાય છે. બંનેને સંવાદી વિકાસ એ જ સામાજિક સંસ્કૃતિને વિકાસ. જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય તેમ તેમ પ્રાચીન શબ્દમાં નવા અર્થના સ્તરે ઉમેરાતા જ જવાના. યજ્ઞ શબ્દ પ્રાચીન ટંકશાળમાં તૈયાર થયે; ત્યાર બાદ કલપી ન શકાય એટલા તેના અર્થો ખીલતા અને સમાજમાં રૂઢ પણ થતા ગયા છે. કાકાએ એના અર્થવિકાસનો ઈતિહાસ ધ્યાનમાં રાખી સામાજિક મોક્ષને સિદ્ધ કરી શકે છે. તેને સ્થિર અર્થ સરળ શબ્દોમાં કર્યો છે. એ અર્થ સહેલાઈથી સમજી શકાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેને અમલ કરવાનું બળ મળે તે હેતુથી તેમણે પિતાના “હિમાલયને પ્રવાસમાંથી સાર્વજનિક વાસણ માંજવાનાં પરિણામ અને શૌચક્રિયા વખતે પ્રથમથી નહિ પણ પછી ઉપર મારી નાખવાના લાભ સૂચવતા બે દાખલાઓ ટાંક્યા છે. આ દાખલા સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org