________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા
[ ૬૧૩ અને બીજી અનેક પ્રકારની મદદ મેળવવાની લાલચથી જ જેનોને ખુલ્લંખુલા ચીડવતાં ડરે છે. તેવા બૌદ્ધો આ દેશમાં નથી અને ક્યાંઈક હોય તેમ હિન્દુ મહાસભાને આર્થિક અને બીજી મદદ જેને પેઠે કરવાની આશા નથી. તેથી જ મુંજે અહિંસા અને બૌદ્ધોનું નામ લઈ મુસલમાન વગેરે પરદેશી જાતિઓથી થયેલ હિંદુ પરાજયનો રોષ અહિંસા પ્રત્યે ઠાલવે છે. એ જ વખતે મનમાં એમ પણ થઈ આવ્યું કે કેશાબીજી ઘણું વાર બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર પુણ્યપ્રકોપ ઠાલવે છે તે મુજે જેવા મધ અને મિથ્યા અભિમાની વાતે યોગ્ય બદલે હશે શું?
છેવટે કોસાંબીજીએ ગાંધીજીના વલણ વિશે ટીકા કરતાં જે કહ્યું છે તે બાબત કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. ગાંધીજી જમીનદારને જનતાપાલક થવાનું અને રાજાને રામરાજ્ય કરવાનું કહે છે. ગાંધીજીના જનતાપાલક અને રામરાજ્ય એ બે શબ્દોને અર્થ કે હવે જોઈએ ને ગાંધીજીના મુખમાં કે શોભે તેને ખુલાસો કૌશાંબીએ કરેલ છે. ગાંધીજીના પ્રથમથી આજ લગીનાં લખાણો ધ્યાનપૂર્વક સાંભળી લેવાની મારી વૃતિ રહી છે. કેશાબીજીએ ઉક્ત બે શબ્દોનો અર્થ જે પ્રકારને ગાંધીજીના મુખમાં ભવાની વાત કહી છે તે જ પ્રકારના અર્થવાળા ખુલાસે તે ગાંધીજીનાં લખાણોમાં જેનારને અનેક સ્થળે મળી આવે તેમ છે. ગાંધીજીમાં પ્રજ્ઞાની ઊણપ હોવાની વાત તે, હું ધારું છું, ભાગ્યે જ કોઈ સ્વીકારશે. સત્ય અને તજજન્ય પ્રજ્ઞા ગાંધીજીમાં સહજ છે. એ ન હોત તે તેમનામાં અહિંસા જ ન હતા, અને હોત તોય તે અહિંસા જગતનું ધ્યાન ન ખેંચત, વિશ્વવ્યાપી અસર પેદા ન કરત. એ સ્વતઃસિદ્ધ પ્રજ્ઞા સામે બીજી કહેવાતી પ્રજ્ઞાઓ કેવી હતપ્રભ થઈ જાય છે એ તે ગાંધીજીના જીવનને હરેક અભ્યાસી જોઈ શકશે.
કેશબો પ્રત્યેના બહુમાનને લીધે અને તેમના ઉદાર નિખાલસપણું પ્રત્યેના વિશ્વાસને લીધે મેં કેટલેક સ્થળે તેમના લખાણ વિરુદ્ધ મારું મન્તવ્ય નિઃસંકોચ જણાવ્યું છે, છતાં એથી આ પુસ્તકની કિંમતમાં કે ઉપયોગિતામાં જરાય ટાડે થતું નથી. કેશાંબીજીએ આ પુસ્તક લખી વિદ્વાન અને સંશોધકે સામે એટલે બધે મોટે વિચાર અને દૃષ્ટિબિન્દુઓને ખજાનો ખુલ્લું મૂક્યો છે કે વિરોધી પક્ષના સાચા અભ્યાસીઓ પણ એ બદલ તેમનો આભાર કદી ભૂલશે નહિ. અંધશ્રદ્ધા અને બીકણવૃત્તિને લીધે ઘણું વહેમો જાહેરાતમાં આવતા જ નથી. મિત્રમંડળમાં ખાનગી રીતે થનાર ચર્ચાઓ જેવી ટ અને નિર્ભયતાથી થાય છે તે ચર્ચાઓ ઘણીવાર અગત્યની હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org