SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨] દર્શન અને ચિંતન આલેખાય અને સાથે સાથે ત્યાર લગીમાં ઉદાત્ત ધર્મ તરીકે સમજાયેલ અને અંશતઃ વ્યક્તિગતપણે આચરાયેલ આધ્યાત્મિક અહિંસા પણ આલેખાય, એમાંય કશો વિરોધ મને દેખાતો નથી. આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે જ્યારે ગાંધીજી અહિંસાના ઉદાત્ત તત્વના વ્યાપક ઉપયોગની શક્યતા પિતાના પ્રયોગથી કરી બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એ જ ગીતાને સર્વશ્રેષ્ઠ પુસ્તક માનવા છતાં તેમાંની શસ્ત્રયુદ્ધની પરંપરાને સર્ષની કાંચળીની પેઠે ફેંકી દેવા જેવી લેખી તેના પર જરાયે ભાર ન આપતાં ગીતામાંથી જ સર્વ રીતે અહિંસા ફલિત કરે છે. મને લાગે છે કે અસલ વાત તે ગુણદષ્ટિ અને ભક્તિની જ છે. ગાંધીજીએ એ દૃષ્ટિથી ગીતાને અવલંબી પિતાને પુરુષાર્થ સિદ્ધ ક્યનું ઉદાહરણ આપણી સામે જ છે. ધમ્મપદ અને ઉત્તરાધ્યયન જેવા માત્ર અહિંસા પ્રતિપાદક ગ્રન્થોને પણ સ્વાર્થ અને ભોગની દષ્ટિએ બૌદ્ધ તેમ જ જૈન ભિક્ષકે ક્યાં ઉપયોગ નથી કરતા ? અહિંસા, પ્રજ્ઞા, મિત્રી આદિ સાત્વિક ગુણોનો પક્ષપાત એ જ કેશાબીજીનું મુખ્ય બળ છે, એવી મારી ધારણાને લીધે જ મેં ટીકા કરવામાં તેમણે અખત્યાર કરવા જોઈતા વલણ વિશે સૂચન કર્યું છે. બાકી કયારેક જેવાના પ્રત્યે તેવા” થવાની અપરિશધિત વાસના મારા મનમાં ઉદય પામે છે ત્યારે સી. વી. વઘ કે ડૉકટર મુંજે જેવાને મુંહતોડ ઉત્તર આપવા કોસાંબીઓની સમર્થ લેખિની યાદ આવી જાય છે. ૧૯૩૬ના ચોમાસામાં પંડિત મદનમોહન માલવીયના પ્રમુખપદે હિન્દુ યુનિવર્સિટીમાં પહેલી વાર જ મુજેને સાંભળવાની તક મળી. તેમના આખા ભાષણને ધ્વનિ એક જ હતો અને તે એ કે હિન્દુસ્તાનમાં હિન્દુઓની પડતી માત્ર અહિંસા અને બૌદ્ધ ધર્મને લીધે જ થયેલી છે. આવા મતલબના લખાણ અને ભાષણ કરનાર કાંઈ માત્ર મુંજે જ નથી, પણ વિદ્વાન અને પ્રોફેસર કહેવાતા અનેક માણસ જ્યાંત્યાં આવા પ્રલાપ કરે છે. મુજેને સાંભળતી વખતે મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવ્યા. તેમાંથી પહેલે પ્રશ્ન એ હતો કે જે આ વખતે ડૉ. ધ્રુવ જેવો પ્રમુખ હોત તે એ વિષપ્રચારને કાંઈક પ્રતિકાર કરત. બીજો પ્રશ્ન મનમાં એ થયો કે મુંજે જ્યારે અહિંસાને જ હિન્દુઓની પડતીનું કારણ માની બૌદ્ધોને વગોવે છે ત્યારે તેમની સામે બૌદ્ધ તે કઈ છે જ નહિ અને અહિંસાના પ્રબળ સમર્થક જેને તેમની સામે છતાં તેમને ખુલ્લી રીતે કાં નહિ વગોવતા હોય? આ પ્રશ્નનો ઉત્તર તે તે જ વખતે મનમાં મળી ગયું. તે સાચું હોય કે ખોટો એ કહી ન શકું, પણ ઉત્તર એ ફુર્યો કે હિન્દુ મહાસભાના મુંજે જેવા સૂત્રધારે દેશમાં જ્યાંત્યાં ઘેડ પણ મેલે ધરાવનાર જૈને પાસેથી આર્થિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy