SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ ] દર્શન અને ચિંતન તપ કહે છે તે તદ્દન ભ્રાંતિ છે. ભગવાન મહાવીર કઠોર તપને કારણે જ દીર્ધ તપસ્વી કહેવાયા, પણ એ કાઈ એ ભૂલવું ન જોઈ એ કે એમના તપમાં દેહદમન એ તા માત્ર સાધન તરીકે જ હતું. તેમનું મુખ્ય અને સાધ્ય તપ તે ધ્યાન, ચિત્તશુદ્ધિ આદિ આભ્યંતર તપ જ હતું. ભગવાન મહાવીરના આખા જીવનને ઝાક આભ્યંતર તપ, માનસિક તપ કે આધ્યાત્મિક તપ તરફ જ હતા. ખાદ્ય તપની કિંમત એમને મન આભ્યંતર તપમાં ઉપયાગી થવા પૂરતી જ હતી. કેવળ દેહદમન જેવા ખાદ્ય તપના તા એમણે વિરાધ કરેલા, તે ભગવતી જેવા પ્રામાણિક ગ્રન્થમાં દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મહાવીરની તપસ્યા મુખ્યત્વે આત્મશુદ્ધિલક્ષી હતી, જેને જેને આભ્ય તર તપ કહે છે. હવે જો પાની પરંપરામાં માત્ર દેહદમન કે બાહ્ય તપને જ સ્થાન હેાત અને ભગવાન મહાવીરે એમાં સુધારા કરી પાછળથી આભ્ય તર તપને સ્થાન આપ્યું હોત તે જૈન શાસ્ત્રોમાં એ સુધારાની નેોંધ જરૂર હોત; કારણ, પાર્શ્વની પરંપરામાં પ્રચલિત ચાતુર્યંમના સ્થાનમાં પંચયામની અને ખીજી નિત્ય પ્રતિક્રમણ જેવી સામાન્ય ભાખતાની મહાવીરે જે સુધારણ કરી તેની નોંધ અતિ આદર અને અતિ કાળજીપૂર્વક જો જૈન પરંપરા આજ સુધી રખાતી આવી છે તેા પાની પરંપરાના માત્ર દેહદમન પૂરતા તપમાં મહાવીરે સુધારા કર્યાની વાત જૈને કદી ભૂલત જ નહિ. ભગવાન મહાવીર પહેલાં જૈન પર’પરામાં પૂર્વ શ્રુતના અસ્તિત્વની અને કતત્ત્વ વિશે કાંઈક વિશિષ્ટ સાહિત્ય હાવાની સાબિતી મળે છે, જે પાશ્વના સંધની માત્ર નિષ્ક્રિ યતાની વિરુદ્ધના પુરાવા છે. લિ’ગપૂજાનાં મૂળ અને તેના પ્રચારમાં જૈન શ્રમણાને પણ કાંઈક હિસ્સો હાવાની કાશાંબીજીની કલ્પના છે. મને એ બરાબર લાગતું નથી. જૈન પરંપરામાં સમયે સમયે શિથિલાચાર દાખલ થયાના પુરાવા મળે છે, પણ લિંગ જેવી ખીભત્સ અને ખુલ્લી અનાચારપ્રધાન પદ્ધતિમાં કયારે પણ એ ઘસડાયા હોય એમ જણાતું નથી. ઊલટુ, ઘણે સ્થળે પ્રાચીન ગ્રન્થામાં જૈન લેાકાએ મહાદેવ અને લિંગપૂજાના પ્રબળ પરિહાસ કર્યો છે. કાશાંખી પ્રત્યે પૂરા આદર હોવા છતાં સમપ્રભાવે પુસ્તકની શૈલી વિશે જે છાપ પડે છે તે જણાવી દેવી યોગ્ય છે. મારા ઉપર એકબે વાર પુસ્તક વાચનથી જે છાપ પડી તેની ચોકસાઈ કરવા મેં બે-ચાર અસાંપ્રદાયિક માનસવાળા અને પૂરા કેળવાયેલ, કે જેમણે આ પુસ્તક વાંચ્યું હતું અગર મારા કહેવાથી વાંચ્યું, તેમની સાથે ચર્ચા કરી. એ બાખતમાં સૌને અભિપ્રાય એક જ પ્રકારના જણાયા કે કાાંબીજીએ ભલે ઉદાર મન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy