________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા
[૬૦૭ નવા જ પ્રદેશમાં લઈ જાય છે. આ વાતે ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવ, લિંગપૂજા, વાસુદેવ આદિની ચર્ચાવાળાં પ્રકરણો ઉદાહરણરૂપ સૂચવવા બસ છે. ઇન્દ્ર વિશે તેમણે જે માહિતી એકઠી કરી છે ને તેને જે રીતે ગોઠવી છે, બ્રહ્મા હિંસક મટી અહિંસક દેવ કેમ કે એ વિશે જે હકીકત મૂકી છે, મહાદેવનું મૂળ શું ? તે અસલમાં કોણ હતા ? લિંગ જેવી બીભત્સ પૂજા આર્યોમાં
ક્યાંથી અને કેમ આવી ? દેવકીપુત્ર વાસુદેવ મૂળમાં કોને દેવ હતે, ઈત્યાદિ વિશે જે લખ્યું છે તે કોઈને ગળે ઊતરે કે નહિ, કઈને ચે કે નહિ, તેમ છતાં એ ચર્ચાઓ નવનવી હકીકત, નવનવી કલ્પના અને શિલીને કારણે એક નવ પ્રકારની નવલકથા જેવી બની ગઈ છે. મધ્યયુગમાં હરિભદ્ર અને અમિતગતિ જેવા જૈન લેખકોએ સાંપ્રદાયિક બદલા તરીકે પુરાણ અને પૌરાણિક દેવની ટીકા કરેલી, તે કરતાં કોસાંબીજીની ટીકા અતિહાસિક દૃષ્ટિના આશ્રયને લીધે જુદી પડી છે. તેમ છતાં કોસાંબીજીએ કરેલી કલ્પનાઓ અને જોડેલ પૂર્વીપર સંબંધે વિદ્વાનોમાં ગ્રાહ્ય થવા વિશે શંકા રહે છે.
આખા પુસ્તકમાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યને જેટલા પ્રમાણમાં સ્પર્શાયું છે તેમ જ બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરા વિશે અનુકુળ કે પ્રતિકૂળ જેટલું કહેવાયું છે તેને પ્રમાણમાં જૈન સાહિત્ય અને જૈન પરંપરાને સ્પર્શ સકારણ જ બહુ ઓછો છે. તેમ છતાં કેશાંબીજીને ભગવાન પાર્શ્વનાથ પ્રત્ય, અહિંસાના પ્રથમ અને પ્રબળ સ્થાપક તરીકે, અતિ આદર જોવામાં આવે છે. કેશાંબીજી ઘેર અંગીરસ અને બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના એકીકરણની કલ્પના કરે છે, પણ તે માત્ર કલ્પના જ હોવાનો સંભવ છે. ભગવાન પાર્શ્વનાથની અહિંસાને તેઓ માત્ર નિષેધાત્મક અને બુદ્ધના અહિંસાના ઉપદેશને વિધાયક પણ કહે છે, તે મને બરાબર લાગતું નથી. પાર્શ્વનાથના ચતુર્થી ત્રિવિધ ત્રિવિધ હતાં, અને એમાં જૈન પરિભાષા પ્રમાણે સમિતિ–સપ્રવૃત્તિનું તત્ત્વ પણ હતું. વળી તેમને એક વિશિષ્ટ સંધ હોવાનું કેશાંબીજી પિતે પણ કબૂલે છે. આ ત્યાગી સંઘ માત્ર નિષ્ક્રિય રૂપે બેસી રહે ને કાંઈ વિધાયક કાર્ય કરે જ નહિ તે હિંસાપ્રધાન યજ્ઞોની સંસ્થાને કેવી રીતે જનતામાંથી ખસેડી કે નબળી કરી શકે ? એ જુદી વાત છે કે પાર્થ અને તેમના સંધને વિધાયક કાર્યક્રમ કે હવે તે જાણવાનું સ્પષ્ટ સાધન નથી. તેમણે પાર્શ્વની પરંપરા વિશે માત્ર દેહદમન પૂરતા તપનું વિધાન કર્યું છે તે તો અસંગત લાગે છે. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પર પરામાં દેહદમન ઉપર વધારે ભાર અપાય છે એ વિશે શંકા નથી; પણ સામાન્ય લેકનાં મનમાં એવી છાપ છે કે જૈન ભિક્ષુકે માત્ર દેહદમનને જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org