SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ -૬૦૬ ] દર્શન અને ચિંતન સૂચવી છે તે મને પિતાને વ્યાજબી લાગતી નથી. વૈદિક સાહિત્યમાં ભલે કેટલાક અંશે ડેના હેય, પણ એ સાહિત્યમાં ઘણો ભાગ અપેક્ષાકૃત બહુ જ જૂનો છે, એ વિશે મને શંકા નથી. ઇન્દ્ર એક સ્વર્ગીય દેવ છે, તે વેદમંત્ર અને વિધિપૂર્વકના યજ્ઞથી પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે, પશુ અને મનુષ્યજાતિનું સંવર્ધન કરે છે વગેરે ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિયુગીન વેદભક્ત મનુષ્યની બુદ્ધિને સંતોષી શકે તેમ નથી. જ્યાં લગી એવી માન્યતાઓને બુદ્ધિગમ્ય અતિહાસિક ખુલાસો ન થાય ત્યાં લગી એવી માન્યતાઓને સહસા ફેંકી શકાતી પણું નથી અને તે બુદ્ધિમાં ખટક્યા સિવાય રહેતી પણ નથી. કૌશાંબીજીએ ઇન્દ્ર વિશે દેડાવેલ કલ્પના–તરંગે કલ્પનામાં જ રહે તેય પણ તેવા બીજા ખુલાસાઓ ઇન્દ્ર આદિ દેવ વિશે કરવાના બાકી રહે છે. આવા ખુલાસાઓ કરવાની કે તે દિશામાં પ્રયત્ન જાગરિત કરવાની વૃત્તિ વાચકેમાં કેશાં બીજીનું લખાણ જન્માવે તે એમને પ્રયત્ન નિષ્ફળ નહિ ગણાય. કેશાબીએ આ પુસ્તકમાં છે અને જેટલી હકીકતો એકઠી કરી છે, જેટલા વિવિધ ઉતારાઓ આપ્યા છે અને તે બધાને પિતાની વિનોદક અને મને રંજક શૈલીથી, છતાંય કડક સમાજના સાથે, જે રીતે ગોઠવ્યા છે તે બધું અભ્યાસી વાચકને આકર્ષે પણ છે અને ચીડવે પણ છે. બ્રાહ્મણપક્ષીય વાચક હોય કે જૈન યા બૌદ્ધપક્ષીય વાચક હોય, તે જે જિજ્ઞાસુ હશે તે આ પુસ્તક વાંચતાં વાંચતાં ગમે તેટલે રોષ પ્રગટ કરતે જશે છતાંય તે પુસ્તક પૂરું વાંચ્યા સિવાય છેડશે નહિ. એવી રીતે એમાં નવ નવ વિષયોની ભરચક પૂરવણું લેખકે કરી છે, અને ટીકાને કઈ પણ પ્રસંગ આવતાં તે સ્થળે તદ્દન નીડરપણે સીધે પ્રહાર પણ કર્યો છે. પ્રતિપાદ્ય વિષય સંપ્રદાય સાથે સંબંધ ધરાવતે હેઈ અને સંપ્રદાય ધર્મરૂપે સામાન્ય જનતાના મનમાં સ્થાન પામેલે હોઈ તે વિશે જ્યારે ખંડનાત્મક સમાલોચના જોવામાં આવે છે ત્યારે અસાંપ્રદાયિક જેવું માનસ પણ ક્ષણભર ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે. કેશાંબીજીએ પિતાની સખત ટીકાનાં તીણાં બાણે માત્ર બ્રાહ્મણવર્ગ ઉપર જ નથી ચલાવ્યા, તેમણે જૈન અને બૌદ્ધ શ્રમણને પણ પિતાના એ બાણના લક્ષ્ય બનાવ્યા છે. એ સામાન્ય તત્ત્વ જોતાં કેશાંબીઝની પ્રકૃતિનં એક વિશિષ્ટ તત્વ વાચકના મન ઉપર આવે છે અને તે એ કે તેઓનો સ્વભાવ મુખ્યપણે ખંડનશેલી પ્રધાન અગર ટીકાપ્રધાન છે. આમ હેવા છતાં તેમણે એકત્ર કરેલ અને વિલક્ષણ રીતે મનોરંજકતાપૂર્વક ગેહવિલ હકીકતે અને બીજી બાબત વાચકને ઉત્તરોત્તર જિજ્ઞાસાવૃદ્ધિ સાથે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy