SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ ૬૦૫ તત્ત્વ અહીં પણ લાગુ કરી કહેવું જોઈ એ કે કાશાંખીજીએ પૂરાં સાધના અને પૂરી માહિતીને અભાવે ઉપલબ્ધ સાધન અને માહિતી પ્રમાણે ભૂતકાળ વિશે જે જે કલ્પના કરી છે તે બધીને અક્ષરશઃ સત્ય કે અક્ષરશઃ અસત્ય ન માનતાં તે ઉપર વિચાર ચલાવવાનું અને તેમાં સંશોધન કરવાનુ કામ અભ્યાસી વાચંકાનુ છે. કાશાંબીજીની બધી જ કલ્પનાઓ અન્યથાસિદ્ધ થાય તાય એમને ખાટું લાગવાનું છે જ નહિ. એની પાછળનું સત્ય હોય તે તે એ જ છે કે બધી વસ્તુઓને વિચાર ખુલ્લા દિલથી અને વહેમમુક્ત માનસથી કરતા શીખવું. આ ઐતિહાસિક દૃષ્ટિનું રહસ્ય છે. એ રહસ્ય ધ્યાનમાં રાખી વેદ કે તેવાં ખીજા અતિપ્રાચીન ધ શાસ્ત્રોને વિચાર થશે તોય લેખકના પ્રયત્નનું આંશિક ફળ સિદ્ધ થશે જ. કાશાંખીજીએ પોતે જ કહ્યુ છે કે તેઓ બાબિલેનિયન સાહિત્ય વિશે નથી જાણતા. વૈદિક સાહિત્ય તેમણે કામ પૂરતું વાંચ્યું અને વિચાર્યું... હાય, તેમ છતાં તેઓ તે સાહિત્યના મુખ્ય અભ્યાસી તે નથી જ. એટલે પ્રાચીન વૈદિક સંસ્કૃતિને બાબિલેનિયન સંસ્કૃતિ સાથે તેમણે જે સંબધ ગાઠવ્યા છે તે હજી કલ્પનાને જ વિષય છે, અને તે વિશેના અભ્યાસનુ હજી આપણે ત્યાં તે પગરણ જ મંડાયું છે. વેદોને અને તેને લગતા સાહિત્યને શ્વિરીય કે અપૌરુષેય માનવાની હારા વર્ષની વારસાગત શ્રદ્ધા કરોડા માણસામાં રૂઢ થયેલી છે. એની વિરુદ્ધ ખુદ વેભક્તો અને વેદાભિમાની વિચારકવગતું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું છે. લોકમાન્ય તિલક જેવાએ પણ વૈદ્યને અતિહાસિક દૃષ્ટિએ જ જોવાવિચારવાનું પસંદ કરેલું, એ આ ઐતિહાસિક દૃષ્ટિની પ્રતિષ્ઠાનું જ પરિણામ છે. ઈશ્વરીય વાણી અને અપૌરુષેય વાણી તરીકેની વેદની માન્યતા આ રીતે ઓસરવા લાગી છે. તેવી સ્થિતિમાં બને તેટલા ચોકસાઈથી, પણ મેાકળા મનથી, વેદોના અતિહાસિક અભ્યાસ થવા લાગે તે એથી વેદોની પ્રતિષ્ઠામાં ઘટાડા નહિ પણ વધારો જ થવાનેા છે. સાયણ વગેરેનાં જે વેદભાષ્યા ને ખીજા એવા પ્રાચીન ટીકાગ્રંથ છે તે બધાંને ક્રી અતિચીવટથી ઐતિહાસિક દૃષ્ટિએ વિચારવાની અનુકૂળ તક આવી લાગી છે. કાશાંખીજીની આ બાબતની કલ્પનાઓ માત્ર કલ્પનાઓ જ હશે તેાય કેટલેક સ્થળે તેમણે કે કલા પ્રકાશ ઐતિહાસિકાને ઉપયોગી તો થવાના જ. દા. ત. એમણે જે સ્થળે (પૃ. ૫૯) વગ, મગધ અને વજ્જી એ ત્રણ પ્રજાએ શ્રદ્દાહીન થવાના અર્થ કાઢયો છે તે કાઈ પણ વિદ્વાન વાચકને સાયણે કરેલ અથ કરતાં વધારે સંબદ્ધ જણાયા સિવાય ભાગ્યે જ રહેવાને. કાશાંખોજીએ વેદના મત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ વગેરે ભાગેાના સમય વિશે જે મર્યાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy