SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [ ર૯ થાય છે. કોઈ પણ ધર્મપંથે આવાં એક યા બીજા પ્રકારનાં ભયસ્થાનોથી. છેક જ મુક્ત હોતા નથી. તેથી જ આ લેક અને પરલકનો ભેદ મટાડવાની, પ્રેમ અને શ્રેય વચ્ચે અભેદ સાવધાની, તેમ જ આવતા બધી જાતના વિક્ષેપિને ટાળી માનવજીવનમાં સામંજસ્ય સ્થાપવાની ધર્મની મૌલિક શક્તિ કુંઠિત બને છે. ધર્મનાં ઉત્થાન અને પતનના ઈતિહાસનું આ જ હાર્દ છે. ધર્મનદીને કિનારે અનેક તીર્થો ઊભાં થાય છે, અનેક પંથના ઘાટે બંધાય છે. એ ઘાટ પર નભનાર વાડાવી સર્વ પંડા કે પુરોહિતે પોતપિતાના તીર્થ અને ઘાટની મહત્તા કે શ્રેષ્ઠતા ગાઈને જ સંતોષ નથી પામતા, પણ મેટે ભાગે તેઓ બીજાં તીર્થો અને બીજા પંથરૂપ ઘાટની ઊણપ બતાવવામાં વધારે રસ લે છે. તેઓ ધર્મની પ્રતિષ્ઠા સાથે કેટલાંક તને. સેળભેળ કરી નાખે છે. તેમાંનું એક તત્ત્વ તો એ કે અમારે ધર્મ એ મૂલતઃ શુદ્ધ છે, અને તેમાં જે કંઈ અશુદ્ધિ હોય તો તે પરપંથની આગંતુક અસર છે. બીજું તત્ત્વ એ કે બીજા ધર્મપથમાં કંઈ સારું હોય તેને પિતાના ધર્મની અસર તરીકે બતાવવું. ત્રીજું તત્વ એ કે સનાતનતા સાથે જ શુદ્ધિ અને પ્રતિષ્ઠાનો સંબંધ વિચારે. આ અને આના જેવા બીજા વિકારી, તોથી લેકનું ધાર્મિક જીવન પણ સુબ્ધ બને છે. દરેક પંથ પિતાની સનાતનતા ને પોતાની શુદ્ધિ સ્થાપવા મથે છે, અને બીજા ધર્મમાં રહેલ ઉચ્ચ તત્વો સામે આંખ મીચી દે છે. ધાર્મિક જીવનના આ સડાને દૂર કરવાનાં અનેક માર્ગો પૈકી એક માર્ગ–અને સુપરિણામદાયી માર્ગ–એ પણ છે કે દરેક ધર્મજિજ્ઞાસુને ધર્મનું જ્ઞાન ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આપવું, જેથી ધર્મનું શિક્ષણ માત્ર એકપંથગામી મટી સર્વપથગામી બને, અને સ્વ કે પર દરેક પંથના પૂલ તેમ જ સૂક્ષ્મ જીવનના ઈતિહાસનું પણ ભાન થાય. આ જાતના. શિક્ષણથી પિતાના પંથની પેઠે બીજા પંથમાં પણ રહેલ સુતોને સહેલાઈથી જાણી શકાય છે અને પરપંથની જેમ સ્વપંથમાં રહેલી ત્રુટિઓનું પણું. વાસ્તવિક ભાન થાય છે. તેની સાથેસાથે પ્રાચીનતામાં જ મહત્તા અને શક્તિને બંધાયેલે ભ્રમ પણ સહેલાઈથી ટળે છે. આ દષ્ટિએ ધર્મના ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણનું બહુ ઊંચું સ્થાન છે. ધર્મનું વ્યાપક અને તટસ્થ દષ્ટિએ એતિહાસિક ને તુલનાત્મક શિક્ષણ. આપવું હોય તે તે માટે પૂર્ણ યોગ્ય સ્થાન તે સાર્વજનિક કલેજે ને યુનિ. વર્સિટીઓ જ છે. એમ તે દરેક દેશમાં અનેક ધર્મધામે છે, અને જ્યાં જ્યાં ધર્મધામ હોય ત્યાં ત્યાં નાનાં-મોટાં વિદ્યાધામ હોવાનાં જ. પણ આપણે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy