________________
૩૦ ]
: દર્શન અને ચિતન
જાણીએ છીએ કે એ વિદ્યાધામા જે જે પથના હોય તેજ પ ંથના વિદ્યાીં અને મોટે ભાગે તે જ પંથના અધ્યાપકે તેમાં હોય છે. તે વિદ્યાધામ ગમે તેટલું ઉદાર વાતાવરણ ધરાવતુ હોય છતાં તેમાં પરપથાના વિદ્યાર્થીઓ કે અધ્યાપકા જતા નથી, અને જાય તો તેમાં એકરસ થઈ શકતા નથી. એટલે પરિણામ એ આવે છે કે દરેક પથ દ્વારા ચલાવાતાં વિદ્યાધામેામાં ધર્મનું શિક્ષણ એકદેશીય જ રહી જાય છે. એને લીધે પંથ પથના અનુયાયીઆની વિચારણામાં રહેલું અંતર કે તેમાં રહેલી ભ્રાન્તિએ મટવાને ખદલે, વિશેષ વધે નહિ તાપણુ, કાયમ તો રહે છેજ. જ્યારે વર્તમાન યુગ દૂરવર્તી ભિન્નભિન્ન ખંડના માણસાને સહેલાઈથી મળવાનાં સાધના ધરાવે છે. અને અનેક બાબતો પરત્વે વિશ્વસ ધની વ્યવસ્થા કરવાની શક્તિ ધરાવે છે, ત્યારે તે યુગમાં માણુસજાતનાં હાડમાંસ સાથે સંકળાયેલ ધર્માંતત્ત્વનું એકદેશીય શિક્ષણ કદી નભી ન શકે, નલવું ન જોઈએ. ખરી રીતે આ યુગે જ સમિલન યોગ્ય કૉલેજો અને યુનિવર્સિટીએ ઊભી કરી છે, અને તે જ સંસ્થાએ પ્રાચીન વિદ્યાધામા અને ધર્માશિક્ષણનાં ધામાનું સ્થાન લઈ રહેલ છે. તેને જ અનુરૂપ ઐતિહાસિક તેમ જ તુલનાત્મક ધર્માશિક્ષણના પાયા નંખાયા છે. આ શિક્ષણ કાં તે પ્રાચીન ધર્માંધામાને પોતાની ઉદારતાથી અજવાળશે; અને કાં તો, જો તેઓ પોતાની સકીણ તા નહીં છેડે તા, તેમને અવશ્યમેવ તેજોહીન બનાવશે. શ્રી રાધાકૃષ્ણન સાચું જ કહે છે કે કોલેજો ને યુનિવર્સિટીએ એ ધર્મપ્રચારનાં ધામેા નથી, એ તેા શુદ્ધ ને વ્યાપક જ્ઞાન પૂરું પાડનાર શિક્ષણ સંસ્થા છે. આજે જ્યાં જુએ ત્યાં દરેક વિષયના સાર્વજનિક શિક્ષણની મહત્તા વધી રહી છે. આ યુગમાં ધર્મના પણ સર્વગ્રાહ્ય સાર્વજનિક શિક્ષણની કેટલી અગત્ય છે, અને તે વિષે લેાકેા કેટલી રુચિ ધરાવે છે એ વસ્તુ દિવસે દિવસે વધતા જતા અને લોકપ્રિય થતા ધવિષયક ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણથી સિદ્ધ થાય છે. જોકે આવા શિક્ષણુની શરૂઆત યુરેપિયના દ્વારા તે યુરોપની ભૂમિ પર જ થઈ, છતાં ખુશીની વાત તો એ છે કે ભારતના એક સાચા બ્રાહ્મણે એ યુરોપની ભૂમિમાં પણ આ વિષયનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. જ્યારે મનુએ કહેલું કે કાઈ પણ દેશના વાસીએ ભારતમાં આવીને વિદ્યા મેળવવી, ત્યારે કદાચ તેના ઊંડા આશય એ પણ હાય કે ભારતના યુગાનુરૂપ બ્રાહ્મણા ભારતની બહાર જઈને પણ યુગાનુરૂપ ભાષામાં યુગાનુરૂપ શિક્ષણ આપરો. જ્યારે સનાતન સંસ્કારના એ દ્વિજો મનુના એ રાતે આ જ પણ વળગી રહ્યા છે, ત્યારે મનુના જ્ઞાનના વારસે ધરાવનાર એક શ્રી રાધાકૃષ્ણન જેવા સનાતની માત્ર તેના શબ્દોને વળગી ન રહેતાં તેના ગર્ભિત અને અમલમાં મૂકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org