________________
નચિકેતા અને ન અવતાર
[ ૫૯૭ ચિગ્ય પણ છે એ જાણ્યા પછી યમ તેની સમક્ષ બીજી અને ત્રીજી વલમાં સાધકે અવશ્ય જાણવા જેવા કેટલાય અગત્યના મુદ્દાઓનું બુદ્ધિગમ્ય નિરૂપણ કરે છે, જેમાં શ્રેય અને પ્રેમનું સ્વરૂપ તથા જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ મુખ્યપણે નિરૂપાયું છે. અલબત્ત, એ આખી ચર્ચા વાચકોને રસ આપે એવી છે, પણ તેને સાર અહીં આપતાં લંબાણ થઈ જાય અને પ્રસ્તુત લેખ દ્વારા કહેવાનો આશય ગૌણ થઈ જાય તે દષ્ટિથી આગળની વલીઓનો સાર અને તે ઉપર કાંઈક વિચારણા કરવાનું કામ મુલતવી રાખી પ્રસ્તુત સાર પરત્વે જે વિચારણીય પ્રશ્નો ઊભા થાય છે અને તેને જે ખુલાસે સંભવિત દેખાય છે તે જ નિરૂપી આ લેખ પૂરે કરીશું.
આ વેદમાં યમ-યમીનું યુગલ આવે છે. તેનો સંબંધ સૂર્ય સાથે છે. વળી ચમ દક્ષિણ દિશાને એક દિપાળ પણ છે. યમ મૃત્યુ તરીકે અગર મૃત્યુદેવતા જમ તરીકે જાણીતું છે. જેમાં તે પરમાધામી તરીકે જાણીતું છે.
ચમ એટલે સદ્ગુરુ અથવા અન્તરાત્મા
યમ વિશેની જુદી જુદી પૌરાણિક તેમ જ ધાર્મિક કલ્પનાઓ જોતાં નચિકેતા, જે એક બ્રાહ્મણપુત્ર મનુષ્ય છે, તે તેની પાસે ગયે એમ કહેવાને કશે અર્થ નથી. એક ઈહલોકવાસી બ્રાહ્મણકુમાર લોકાંતરવાસી કાલ્પનિક દેવ પાસે જાય એ વાત બુદ્ધિગમ્ય નથી. વળી યમ બહુ તે મૃત્યુ દેવતા છે, અગર કઈ દેવવિશેષ છે. તે આધ્યાત્મિક જ્ઞાનનું અંતિમ રહસ્ય જાણે પણ
ક્યાંથી ? અને જાણે તે મનુષ્યને કઈ ભાષામાં કેવી રીતે સમજાવે ? વળી એવા 'કોઈ દેવને અતિથિધર્મની શી પડી છે? જે યમ મૃત્યદેવતા હોય તે તેના દરબારમાં રેજ અતિથિઓનું મંડળ આવ્યા જ કરે છે, એટલે તે અતિથિધર્મ બજાવે કે આગન્તુકના પુણ્યપાપનું લેખું લે? આ બધું વિચારતાં કઈ એમ નહિ કહી શકે કે અત્રે યમનો અર્થ કેઈ દેવિશેષ બંધબેસે છે. ત્યારે કર્યો અર્થ બંધબેસત છે?—એ પ્રશ્ન તે રહે જ છે. એને સરળ અને સીધે ઉત્તર એ છે કે અત્રે યમ એટલે અધ્યાત્મજ્ઞાતા સર અગર અંતરાત્મા. સાધકને સાધનાની પ્રક્રિયામાં સગુરુ જ પ્રથમ બેધદાતા અને માર્ગદર્શક બને છે. કોઈ ખાસ દાખલામાં એમ પણ અનુભવાય છે કે બહારના કોઈ સદગુરના યોગ સિવાય પણ સાધક પૂર્વસંસ્કારવશ પોતાની ઉગ્ર તપસ્યાને બળે અંતરાત્મામાંથી આધ્યત્મિક બેધની પ્રેરણા મેળવે છે. તેથી યમના ઉપર સૂચવેલા બંને અર્થે સાધના–માર્ગમાં બંધબેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org