SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન જાણવું સહેલું નથી, એ કેમ સંભવે ? આ પ્રશ્નનો જવાબ આપનાર તમારા જે બીજો કોઈ હેઈજ ન શકે. અને મેં જે ત્રીજું વરદાન માગ્યું છે તેની તુલના કરે એવું બીજું કંઈ વરદાન પણ નથી. એક તે આ ત્રીજું વરદાન મેળવવું એ જ ભારે અંતિમ આદર્શ અને વધારામાં એને તમારા સિવાય બીજો કોઈ સિદ્ધ પણ ન કરી શકે. તો પછી આવી અનુકૂળ તકને હું કેમ જતી કરું ?” યમ જાણે કે નચિકેતાની પૂરી કરી જ ન કરતો હોય તેમ તે નચિકેતાની જિજ્ઞાસાને બીજી દિશામાં વાળવા પ્રયત્ન કરે છે અને કહે છે કે, “હે! નચિકેતા, તું શતાયુ પુત્રપૌત્ર, પુષ્કળ હાથીડા આદિ પશુઓ, મોટા ભવનો ભાગ. એટલું જ નહિ, પણ યથેચ્છ આયુષ્ય માગ. તું બીજું કાંઈપણ વર માગે અને આ ભૂમિ ઉપર તું સુખેથી રહે. હું તારા બધા મનોરથ પૂરીશ. જે જે ભેગો મનુષ્યલકમાં દુર્લભ છે તેને યથેચ્છ માગી લે. જે, રથ અને વાદ્યો સહિત આ સુંદર રમણુઓ ! આવા ભોગે મનુષ્યોને સુલભ નથી. હું એ ભોગે પૂરા પાડીશ, અને તું એ સ્ત્રીપુત્રો વગેરેની સેવા લે. તેં જે પુનર્જન્મને લગતો પ્રશ્ન કર્યો છે તે જતો કર.” પણ નચિકેતાની જિજ્ઞાસા ને સાધના ઉપર ઉપરની ન હતી. એટલે તે મકકમ થઈ વર આપવાના વચનથી બંધાયેલ યમને કહે છે કે, “તમે જે આપવા કહ્યું તે બધું તે આવતી કાલ સુધી જ ટકનાર છે. એટલું જ નહિ, પણ એને ઉપભોગ કરનારની ઈન્દ્રિયની શક્તિને પણ તે હણે છે, અને ગમે તેટલું આયુષ્ય મળે તો પણ તે અનંતકાળમાં અલ્પમાત્ર છે. માટે એ બધા ભોગ તમે તમારી પાસે જ રહેવા દે. ધનથી માણસને ધરપત નથી થતી. હે મૃત્યુ! એક વાર જે અમે તમારું દર્શન પામ્યા તે પછી બધું આપોઆપ આવી ભળવાનું. માટે મારે તે એ જ વર જોઈએ; અર્થાત મરણ બાદ સ્થાયી રહેનાર કોઈ તત્વ છે કે નહિ ? ને હોય તે તે કેવું છે, એનું જ જ્ઞાન જોઈએ. છેવટે ઘડપણ આવે જ છે; એટલે રંગરાગના આપાતરમણીય સુખને જે ખરી રીતે સમજતું હોય તે ગમે તેટલા દીર્ધ જીવનમાં પણ કેવી રીતે રાચે? મેં જે પરલેક સંબંધી પ્રશ્ન કર્યો છે તેના સંશયમાં અનેક વિશારદો લાંબા કાળથી પડ્યા છે. તેથી જ એ પ્રશ્ન વધારે મહત્ત્વનો બને છે, અને હું તેનો જ ઉકેલ તમારી પાસેથી માગું છું. મેં જે ત્રીજું વર માગ્યું છે તે ખરેખર ગૂઢ છે. તેથી જ તો આ નચિકેતા બીજા કોઈ વરને વરતે નથી.” અહીં પ્રથમ વલ્લી પૂરી થાય છે. નચિકેતા પિતાની છેલ્લી અને તાત્વિક માગણીમાં સ્થિર છે તેમ જ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy