________________
૫૯૪]
દર્શન અને ચિંતન આખ્યાનમાં પિતા વાશ્રયમ્ર, પુત્ર નચિકેતા અને વરદાતા યમ એ ત્રણ મુખ્ય પાત્ર છે.
ધર્મના ત્રણ સ્કન્ધ પૈકી પ્રથમ સ્કંધમાં યજ્ઞ, અધ્યયન અને દાનનું સ્થાન છે. તેમાંથી યજ્ઞ અને તેને અંગે અપાતા દાનની પ્રથાને આખ્યાનમાં ઉલ્લેખ છે. સૂત્રાત્મક વાક્યથી સૂચવાતી કથાનો સ્થૂળ સાર એ છે કે પિતા યાને અંતે પ્રણાલિકા પ્રમાણે દાન આપે છે–પણ તે જાણે પ્રણાલિકાને સાચવવા પૂરતું જ ન આપતે હેય તેવી રીતે. તે કાળે ગોદાનની પ્રથા બહુ પાપક હતી અને તેનાં મૂળ ઊંડે સુધી ગયાં હતાં. પિતા પિતાની પાસેની દુધાળ, તરુણ, નવવત્સ ગાને રાખી, આજકાલની ભાષા વાપરીએ તે, પાંજરાપોળમાં મૂકવા જેવી ગાયો દાનમાં આપે છે. વાજશ્રવમ્ શ્રદ્ધાળ અવશ્ય છે, પણ તે સાથે તે લેભી અને ગણતરીબાજ પણ છે. દાન આપવું તે એવી વસ્તુ કેમ ન આપવી કે જે હવે સાચવવાનો બહુ અર્થ ન હોય ! સજીવ શ્રદ્ધા
નચિકેતાની પ્રકૃતિ સાવ જુદી છે. તે શ્રદ્ધાળુ હોવા ઉપરાંત તદ્દન ઉદાર અને વિવેકી છે. પિતાની પ્રવૃત્તિ જોઈ પુત્રને દુઃખ થાય છે. તેને એમ થાય છે કે જે દાન કરવું તે પછી સછવ શ્રદ્ધા સાથે પિતાની પાસે હોય તેમાંથી સારી વસ્તુ કેમ ન આપવી તેને પિતાની સીધી ટીકા કરતાં વિવેક રેકે છે, એટલે તેણે બીજો ભાગ લીધે અને પિતાને કહ્યું કે, તમે મારું જ દાન કરી દો ને! તમે મને કોને આપશે ? તેણે તે આ માગણું સાચા દિલે કરી હતી, પણ તેની જીદ જેઈ પિતાએ આવેશમાં કહી દીધું કે હું મને તારું દાન કરીશ.
આવેશમાં બોલતા તો બેલાઈ ગયું, પણ પુત્ર તે પિતાના વચનને ઝીલી સીધે યમને ઘરે સિધાવ્યો. યમ ઘેર ન હતું, એટલે નચિકેતા ત્રણ દિવસ તેને આંગણે ઉપવાસ સાથે રહ્યો. આંગણે આવેલ અતિથિ આમ અન્નપાણુ વિના રહે તે આતિથેયને જીવનધર્મ માનનાર માટે એક ધર્મશળ હતું. યમે ઘેર પાછા ફરી જ્યારે એ ધર્મશાની વાત જાણી ત્યારે તેણે પ્રાયશ્ચિત્ત કરવા અથવા તે આતિથેય ધર્મને સદા માટે દીપાવવા એ બ્રાહ્મણ અતિથિને સત્કારપૂર્વક ત્રણ લાંધણ બદલ ત્રણ વર માગવા કહ્યું.
વિવેકી નચિકેતાએ જે વર માગ્યા તે તેની આધ્યાત્મિક સાધના અને વિવેકના સૂચક છે. એ પહેલું વર માગે છે કે એને પિતા એના પ્રત્યે રોષમુક્ત થઈ પ્રસન્ન થાય. કુપિત પિતાને પ્રસન્ન જેવા તત્પર આ કુમારની વડીલભક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org