________________
નચિકેતા અને નવા અવતાર
[૧૯૩
જાણીતી અને જૂની પણ છે. કાક એ નિચકેતા આખ્યાનને લીધે જ બહુ સુવિદિત છે.
સાધનાકાળ દરમિયાન એક ઉત્કટ ધર્મવીર સાધકમાં લક્ષ્યસિદ્ધિ માટેની જે અદમ્ય જિજ્ઞાસા ને જે પૌરુષવૃત્તિ હાય છે તેની કાવ્યમય અમર ગાથા નચિકેતા આખ્યાનમાં છે. આખ્યાન અને ઉપાખ્યાનની શૈલી બહુ પ્રાચીન છે. એ શૈલીમાં કહેવાનું બધું ટૂંકમાં પણ રોચક રીતે રજૂ થાય છે. આવાં આખ્યાના અને ઉપાખ્યાનાથી આખુ ભારતીય વાડ્મય ઓતપ્રોત છે. એવાં જ આખ્યાને અને ઉપાખ્યાનામાંથી ખળ મેળવી કેટલીયે પ્રતિભાઓએ મહાન કાવ્યો સરજ્યાં છે, અને મહાભારત, રામાયણ તેમ જ ભાગવત જેવાં પુરાણાની અલૌકિક રચના પણ કરી છે. આપ્યાનની પ્રથા એટલી બધી લોકપ્રિય થઈ છે કે તેણે દરેક પ્રાન્તીય ભાષાઓમાં પણ સ્થાન મેળવ્યું છે. ગુજરાતીમાં પ્રેમાનંદ જેવા કવિઓનાં આખ્યાન જાણીતાં છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના વર્તમાન ઉપાસકેાએ પણ આખ્યાનપ્રથાને સમયેાચિત ધાટ આપી લેાકમાનસને કેળવવાનું કામ આધ્યું છે. વૈશ`પાયનની વાણી, નારદવાણી જેવી રચનાઓ તાત્કાલિક પ્રશ્નોને રસિક રીતે ચતાં સમય પૂરતાં આખ્યાને જ છે. કીર્તનકારોને જાણીતા સંપ્રદાય આખ્યાનપ્રથાને સજીવ નમૂનો છે. નચિકેતાઃ એક પ્રતીક
રચનાર, આખ્યાન કે તેવી કૃતિ રચે છે ત્યારે તે પેાતાને સુપરિચિત એવી ભાષા, પરિભાષા તેમ જ પરંપરાગત પ્રણાલીએ અને માન્યતાઓનાં કલેવરને પેાતાને સૂઝેલા વિચારના પ્રાણથી સજીવ ખનાવે છે, તે તેને નવચેતના અપે છે. જેણે નાચિકેત ઉપાખ્યાન રચ્યું છે તે કવિ સ ંસ્કૃત ભાષાથી——— ખાસ કરી બ્રાહ્મણ તેમ જ ઉપનિષદના યુગની સંસ્કૃત ભાષાથી—વિશેષે પરિચિત છે. છંદ અને શૈલી પણ તે યુગનાં છે. પરિભાષા—ખાસ કરી ધાર્મિક અને દાનિક પરિભાષા-મુખ્યપણે પ્રાચીન સાંખ્યયોગ પર પરાની તેને સુપરિચિત છે.
જ્યારે યજ્ઞયાગ જેવી ક્રિયાકાંડની પ્રણાલિકા અને કઠોર વ્રત, નિયમ, દેહદમન જેવાં તપાતા પ્રભાવ ઘટી રહ્યો હતેા, તેમ જ જ્યારે ચૈતન્યતત્ત્વની મૂળગામી શોધ અને તેને જીવનમાં ઉતારવાના પુરુષા વધી રહ્યાં હતાં તેવે સધિકાળે થયેલ એ કાઠક કવિએ પોતાની હથોટીના માધ્યમ દ્વારા નચિકેતાને અહાને એક ઉત્કટ આધ્યાત્મિક જિજ્ઞાસા અને તેની સિદ્ધિનું સચોટ ચિત્ર ખેચ્યુ' છે અને સાથે સાથે જૂની તેમ જ પ્રાણવિહીન થતી ચાલેલી ધર્મ પ્રણાલીઓને હંમેશ માટે જિવાડી શકે એવું આધ્યાત્મિક તેજ અપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org