________________
નચિકેતા અને નવો અવતાર
[૨]
ભારતનું નામ ભૌતિક સાધના કે પ્રાકૃતિક વિભૂતિથી એવું જાણીતું નથી જેવું તે આધ્યાત્મિક સાધનાથી જાણીતું છે. ભારતની આગવી કહી શકાય એવી બધી કળાઓએ, બધી વિદ્યાઓએ અને બધી સાંસ્કૃતિક પરંપરાઓએ આધ્યાત્મિક સંસ્કારમાંથી જ મુખ્ય બળ મેળવ્યું છે. આધ્યાત્મિક ભાવનાઓને પ્રવાહાએ હજારે વર્ષના કાળ પટ પર વહેતે આવેલ તેમ જ દેશ, જાતિ અને પંથ આદિના સંકીર્ણ વર્તુળમાં નહિ બંધાયેલ એ એક ચિરંજીવી પ્રવાહ છે. તથાગત બુદ્ધની છ વર્ષની ઉત્કટ સાધના કે દીર્ધ તપસ્વી મહાવીરની બાર વર્ષની તીવ્ર સાધના જેવી જાણીતી અતિહાસિક સાધનાઓ તે એ પ્રવાહને એક નમૂને માત્ર પૂરું પાડે છે, પણ અતિવિપુલ એવા વૈદિક, પૌરાણિક અને તાન્સિક સાહિત્યમાં એવી સાધનાની દઢ પ્રતીતિ કરાવ. નારા સંખ્યાબંધ પ્રતીકે જોવા મળે છે. એટલું જ નહિ, પણ કહેવાતા આ ભૌતિક યુગમાં પણ એ સાધનાને સાચી રીતે જીવવા મળ્યા હોય અને તે પ્રમાણે જીવતા હોય એવા વિરલ સાધકે આજે પણ દુર્લભ નથી.
ઉપનિષદો એ મંત્ર-બ્રાહ્મણ યુગ તેમ જ સંત, સાધક અને તપસ્વીયુગ એ બેને એકમેક સાથે સાંધતી એવી એક સુંદર કડી છે. ઉપનિષદો અનેક છે. તે બધાં કોઈ એક કાળે કે એક પ્રદેશમાં અગર એક વ્યક્તિ દ્વારા રચાયાં નથી. ઘણીવાર એક જ ઉપનિષદના જુદા જુદા ભાગે પણ જુદા જુદા હાથની તેમ જ જુદા જુદા સમયની કૃતિ હોવાનું જણાય છે. તે બધાં જ ઉપનિષદોનું મૂલ્ય એકસરખું ન પણ હોય, છતાં એ બધાંમાં સાધનાનો સૂર છે. એકસરખે જ સંભળાય છે. તેમાંથી કેટલાંક ઉપનિષદો અને ખાસ કરી કઈ કઈ ઉપનિષદના ખાસ ભાગે તે એવા છે કે જે ગમે તે સહેદય જિજ્ઞાસુને વશ કરી લે. દા. ત. ઈશાવાસ્ય, યાજ્ઞવઠ્યસંવાદ ઈત્યાદિ.
આવાં હૃદયસ્પર્શી ઉપનિષદો અગર તેના ભાગમાં કાઠક ઉપનિષદનું ખાસ સ્થાન છે. એના નામ ઉપરથી જ તે કઠ શાખામાં થયેલ કેઈ ઋષિની રચના છે એમ જણાય છે. ઋષિઓની અનેક શાખાઓમાં કઠ શાખા બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org