________________
વિદ્યાની ચાર ભૂમિકાઓ
[૫૯૧ જ એ જાગતી હોય છે. એટલે એથી ભૂમિકામાં વ્યક્ત થનારી આપણી મૌલિક સાધનામાં આપણે એનાથી ચેતીને ચાલવાનું છે.
એક બીજા વિઘને પણ અહીં નિર્દેશ કરીશ. ઘણું વાર પાછલી ભૂમિકાની ત્રુટિઓ પણ આગળની ભૂમિકાઓમાં દેખાવા માંડે છે. એમને પણ દૂર કરવાની હોય છે. પિતાના વખતનો સદુપયેગ કરનારા વિદ્યાર્થીએ મેં બહુ ઓછી જોયા છે. એમને પુરુષાર્થ પરીક્ષાકાળ પૂરતું જ હોય છે. એમાં તેઓ આરોગ્ય પણ બગાડતાં હોય છે. આ ભૂલ બીજી ભૂમિકામાં વારં વાર થતી જોવામાં આવે છે, પણ ત્રીજીચોથી ભૂમિકામાં એ ભૂલ કદાપિ ન થવી જોઈએ અને થતી હોય તે સ્વપ્રયત્નથી–સમજણથી એ દૂર કરવી જોઈએ. પહેલી બે ભૂમિકાઓની ભૂલ માટે આપણે શિક્ષકો, શિક્ષણપદ્ધતિ, સમાજ–ગમે તેને જવાબદાર ગણીએ, પણ ત્રીજીમાં તો વિદ્યાર્થીએ જાતે જ જવાબદાર બનવું પડે, અને એથીમાં તે એ ભૂલ નભી જ ન શકે; ત્યાં તે એને દૂર કરવી જ પડે.
એ ભૂમિકામાં તમે ને હું બધાં છીએ. એ મંગલ અવસર છે, મંગલ જીવન છે. ઘરનું વાસ્તુ, લગ્ન, પરદેશપ્રયાણ વગેરેમાં અમુક વખત પૂરતું મંગલ મનાય છે, પણ પ્રત્યેક ક્ષણે માંગલિકતા દેખાયચર્ચા, વાચન, શોધન, સૂઝમાં માંગલ્ય ઊભરાય–એ તો વિદ્યાર્થી જીવનમાં જ બને છે. પહેલી ત્રણ ભૂમિકાઓનાં તે વર્ષે પણ નિયત કરવામાં આવે છે, પણ ચોથીને તે એનુંય બંધન નથી. એ તો સદા મંગલ છે. એ જીવનમાં તમે બધાં વિકસે એવું પ્રાણું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org