SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ ] દર્શન અને ચિંતન કરવુ હાય છે. હવે વિદ્યાર્થીઓને દોરવણી આપતાં, એમને કામ આપતાં તે એમની પાસેથી કામ લેતાં એની પાતાની સૂઝ પણ ખીલે છે, એનુ નેતૃત્વ ધડાય છે. એટલે સ્વાભાવિક રીતે જ ઉત્તમ સંશોધકેા પોતાની આસપાસ વિદ્યાર્થીઓનુ માળ હાય એમ ઇચ્છે છે; એટલુ જ નહિ, તેમની સાથે કુટુંબભાવે વ્યવહાર આચરે છે. કલકત્તામાં અને શાંતિનિકેતનમાં મે એવા અધ્યાપકા જોયા છે. યુરાપમાં એવા અધ્યાપકેા છે એમ સાંભળ્યું છે. આવા અધ્યાપકાને વિદ્યાથીઓ તે પાતાને શકાપ્રશ્ન પૂછીને નિરાંતે ઘેર જઈ ને સૂઈ શકે, પણ અધ્યાપકની તે ધણીવાર ઊંધ ઊડી જતી હોય છે. એને એમ ચાય છે કે વિદ્યાર્થીના મનનું સમાધાન કરવા જે ઉત્તર પોતે આપ્યા તે અધૂરો છે, પૂરતા સતોષકારક નથી. તેથી સંતોષકારક ઉત્તર આપે ત્યારે જ એને ચેન પડે છે. આ જ્યારે વિદ્યાથી ાણે છે ત્યારે અધ્યાપકના જીવનને રંગ એને પણ લાગે છે. વિદ્યોષાર્જન એ તે વૃક્ષ જેવી ક્રિયા છે. સતત રસ લીધા કરીએ તે જ એ વધ્યા કરે અને શાખાએ શાખાએ, પાંદડે પાંદડે એ રસ પહેાંચ્યા કરે. ધણા પૂછે છે કે શું અમદાવાદમાં સાધન થઈ શકે? પ્રશ્ન સાચા છે, કેમ કે અમદાવાદનુ” ધન જુદું છે. છતાં એ ધનને વિશેષ ઇચ્છનાર વર્ગોમાં પણ વિદ્યાધન ઇચ્છનાર વર્ગ હાય છે જ. અમદાવાદ એમાં અપવાદરૂપ ન હાઈ શકે. આપણે જેનું ઉપાર્જન કરવાનુ છે તે પણ એક ધન છે. એ ધન પામીને ઝૂંપડામાં રહીને પણ સુખી થવાય. જે માણસ ખંતીલા છે, જેને પેાતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યોપાર્જન એ ધન્ય વ્યવસાય છે. આપણે બધાં ઇચ્છાએ કે અનિચ્છએ આ વ્યવસાયમાં ધકેલાયાં છીએ, છતાં એને પણ ઉપયોગ છે. ધણા પૂછનારા મળે છે કે આમાં શું જોઈ તે પડયા હશો ? હું જવાબ આપું છું કે અમારે મરતી વખતે વીલ કરવાની જરૂર પડવાની નથી. અને નિકા ભલે અભિમાન કરે પણ વિદ્યાધનવાળાઓને-વિદ્વાનાને શાખ્યા વિના એમને ચાલ્યું નથી. પેાતાને માટે નહિ તે પેતાનાં સતાના માટે પણ એમને વિદ્વાનાની જરૂર રહે જ છે. આમ કરીને લક્ષ્મી અને સરસ્વતીના વિરોધની વાત હું નથી કરતા. વિદ્યાર્થીના સાધનાકાળમાં લક્ષ્મીની લાલસા વિશ્ર્વરૂપ છે. વિદ્યાની સાધનામાં વિશ્વ હાય તે તે ધનરાશિનું છે. પણ ગરીબ દેશમાં અને વળી ગરીબ કુટુંબમાં રહેતા હાઈ એ તે। ધનની મહત્ત્વાકાંક્ષા જાગવાને સંભવ નથી. ધનાઢયોના સંસગ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy