SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞને અંજલ [ ૩૯ ] આજે જે મહાપુરુષની જન્મજયન્તી ઊજવવા આપણે સૌ એકઠાં થયાં છીએ એમની જન્મતિથિ-કાર્તિક શુક્લા પૂર્ણિમા—એક વિશિષ્ટ તિથિ છે. તેની સાથે અનેક મહાન વ્યક્તિએની સ્મૃતિ સંકળાયેલી છે. ભગવાન બુદ્ધના જન્મ આ જ તિથિએ થયા છે, અને એની ઊજવણી માટે બનારસ પાસે સારનાથના ઔવિહારમાં દૂર દૂરથી તિબેટ, સિલાન, ચીન અને અમામાંથી તેમ જ કાઈ કાઈ પશ્ચિમના દેશોમાંથી પણ અનેક યાત્રિકા આવે છે અને મોટા ઉત્સવ સાથે યુદ્ધજન્મની ઉજવણી કરે છે. શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક અને તપસ્વી શ્રીમદ્ રાજચંદ્રે પણ આ જ તિથિએ જન્મ્યા હતા. જેને આપણે કલિકાલસર્વજ્ઞ કહી સન્માનીએ છીએ તેનો આપણે પૂરા પિછાનતા નથી, એ આપણું કમભાગ્ય છે. આવા પ્રખર પાંડિત્યવાળા મહાપુરુષને જન્મદિન આપણે કેવા ગૌરવપૂર્વક ઊજવવા જોઈ એ ! હું માનુ છુ કે શ્રી હેમચંદ્રાચાય અને તેમના જેવા જ અન્ય અન્ય ધર્મો તેમ જ ક્ષેત્રમાં જે જે અસાધારણ પ્રતિભાવાળા પુરુષો આપણે ત્યાં થઈ ગયા હોય તેમને સમયે સમયે યાદ કરવા માટે આવા અનેક જ્યંતી-ઉત્સવા યેાજાય તે આપણી નવીન પ્રશ્નને, આજનાં શુષ્ક અને નિષ્પ્રાણ ખની ગયેલા શિક્ષણ વચ્ચે, કંઈક પ્રેરણાદાયક સંદેશા આપણે આપી શકીએ. હેમચંદ્રાચાર્યના મહિમા મારે મન એ એક જૈન આચાય હતા એ રીતે છે જ નહિ. એ તે। ન કેવળ આખા ગુજરાતની, પણ સમરત ભારત વર્ષની સંપત્તિરૂપ હતા, અને એ રીતે જ એમનું જીવન આપણે સમજવું જોઈ એ. હેમચંદ્રાચાર્યના પાંડિત્યના અને રાજકારણ સહિત અનેક પ્રવૃત્તિમાં નિમગ્ન રહેવા છતાં એમણે કરેલ વિશાળ સાહિત્યસર્જનને વિચાર કરીએ તો આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. જિંદગીના છેડા સુધી આટલી બધી પ્રવૃત્તિઓ આદરનાર એ મહાપુરુષમાં શક્તિને કેટલા સંચય થયેલા હશે એની આપણને કલ્પના પણ નથી આવી શકતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy