________________
[ ૫૫
જૈન જત
અને જિસસ વિશે વાંચ્યું હતું, પણ એ કાઈ મારી સામેના ન હતા, એ અધા પરાક્ષ હતા. કાશીમાં ભણતા હતા ત્યારે બંગભંગના દેશવ્યાપી ઉગ્ર આંદ્રેલન વખતે, એક પુરુષે આફ્રિકામાં કરી બતાવેલ સફળ સત્યાગ્રહના કાળની વાતે વાંચી. પછી આ દેશમાં એ મહાપુરુષે કરેલું કામ જોયું. એમની વિચારસરણી, આશ્રમપદ્ધતિ, તટરથવ્રુત્તિ એ બધું જાતે પ્રત્યક્ષ રીતે જોયું અને અને બધું સમજાયુ.
રામ-રાવણ, કૃષ્ણ-અર્જુન એ પરાક્ષ છે. એ કવિની કલ્પના હા કે ગમે તે હા, પણ ગાંધીજીને જોઈ તે મને એ બધું સાચું લાગ્યું. મુદ્દ—મહાવીર, રામ-રાવણુ, કૃષ્ણ-અર્જુન, મહંમદ–જિસસ વિશે જેમને શંકા હોય તે પાતાની શંકા ગાંધીજીને જોઈ ને દૂર કરી શકે.
न त्वहं कामये राज्यं, न स्वर्ग नापुनर्भवम् । कामये दुःखतप्तानां प्राणिनामार्तिनाशनम् ॥
આ શ્લોકમાંની ભાવનાને અનુરૂપ ગાંધીજીએ એક વાત કરી—જીવન હાય તો તે માનવતા માટે. અને આ વાત તેમણે ઉપદેશથી નહિ, પણ પોતાના આચરણથી સમજાવી. આ બધું જોતાં લાગે છે કે જીવન દુઃખમય નહિ, પણ સુખમય અને સૌ મય છે. આ સૌન્દર્યની દૃષ્ટિએ, હું જરા પણ આનાકાની વગર, આ સત્કારને સ્વીકાર કરું છું, અને આ માટે સધને અને આપ સૌને આભાર માનુ છું.
જૈતા મહાવીર માટે કહેશે કે તેમણે તે આમ કહ્યું હતું અને તેમ કહ્યું હતું. જૈન ધર્મ' વિશ્વધર્મ હોવાનું કહેવા છતાં પણ તે અસ્પૃશ્યતાને પથ્થર છોડવાને તૈયાર નથી ! પ્રશ્નોને હલ કરવાને બદલે તે એને ટાળવાના જ પ્રયત્ન કરવાના. પણ આમ કરવાથી કંઈ કામ ચાલે નહિ. હિરજનોના મદિરપ્રવેશ પ્રત્યે એમની કેવી વૃત્તિ છે? જે સમાજને ચૂસતા હોય તેને માટે મંદિરનાં દ્વાર સદા ખુલ્લાં અને જે હરિજનેા વગર તંદુરસ્ત જીવન અશકય બની જાય એને અસ્પૃશ્ય માના, એથી મોટી બેવકૂફી કઈ સમજવી ? પણ હવે વખત બલાયા છે. યુવકનું માનસ નર્યાં ગાણા ગાવા પૂરતું નહિ, પણ હિરજનાને અપનાવીને તેમને તેાકર તરીકે, રસાયા તરીકે કે બીજી ગમે તે રીતે પોતાની પાસે રાખવામાં દેખાઈ આવવુ જોઈ એ. યુવકેા પાસેથી હું એછામાં ઓછી આટલી અપેક્ષા રાખું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org