________________
જૈન જન
[૩૮]
ઘણું જૂના કાળથી બે જાતની ભાવના આપણે ત્યાં ચાલી આવે છે: એક તે, આ શરીર અશુચિ છે, અનિત્ય છે, નકામું છે, દુનિયા દુઃખમય છે, એમાં ક્યાંય સુખ કે સૌન્દર્ય નથી એ ભાવના; અને બીજી ભાવના તે આ સંસાર દુઃખમય નહિ પણ સુખમય છે, જવવાલાયક છે, સૌન્દર્યથી ભલે છે, આનંદમય છે તે ભાવના.
આમાં પહેલી ભાવનાને વિકાસ થવાથી જીવન કલેશમય જ નહિ, પણ કૃત્રિમ પણ બનતું ગયું છે. સુત્રામવાતc–એ સૂત્ર મુજબ દેશમાં દુનિયાને અને જીવનને દુઃખમય, અશુચિ, અનિત્ય વર્ણવતું સાહિત્ય ખૂબ વધ્યું છે, પણ હું આ ભાવનાને અપનાવવામાં અને બિનજરૂરી રીતે જીવનને નિરાશ અને કલેશમય બનાવવામાં નથી માનતે.
બીજી ભાવના તે એમ કહે છે કે દુનિયામાં સઘળે સુખ જ છે. જેને એક જણ દુઃખ કહે છે તે જ બીજાને મન સુખ છે. દુઃખને છોડવું, એનો ત્યાગ કરે એ એક વાત છે, અને પહેલાંથી જ સર્વત્ર દુઃખ માની લેવું એ બીજી વાત છે. દુઃખ છે ક્યાં? એ પણ એક સવાલ છે. એક વ્યક્તિ શરીરને ખરાબ ગણીને એની ઉપેક્ષા કરે છે અને છતાં પાંચ માળના મહેલમાં રહે છે એ શું સમજવું ? જન્મે તો હું પહેલી ભાવનામાં જ ઊછર્યો છું, પણ તત્ત્વચિંતન પછી મારી એ ભાવના બદલાઈ ગઈ છે, અને તેથી જગતમાં ક્યાંય દુઃખ નથી એ મારે અનુભવ છે. જરાક રમૂજમાં કહેવું હોય તે કહી શકાય કે આ સભા સુંદર છે, આ સ્વાગત સુંદર છે, કાકાસાહેબ વિદ્યામૂર્તિ છે અને આ સત્કાર સમારંભમાં હું મારી જાતને અધન્ય નથી માનતો, તમે પણ ધન્ય છે ! “દેહ દેવળમાં અખંડ દીવડે, તેથી મારું મનડું ડોલે”
–એ કાવ્યપંક્તિ આવા અવસરે સાચી પડતી લાગે છે. જેને અને અસ્પૃશ્યતા
નાની ઉંમરમાં અને પછી મહાવીર-બુદ્ધ વિશે વાંચ્યું હતું, મહંમદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org