________________
ગાંધીજી અને જૈનત્વ
[ પછ૩. અનેકાંતનાં બે ત કઈ કઈ રીતે કામ કરી રહ્યાં છે. અને જ્યારે એ જોઉં છું તેમ જ વિચારું છું ત્યારે મને ચોખું લાગે છે કે એ તત્વોની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે, પછી ભલે તે ગમે તે રૂપમાં હેય. ખરી રીતે મહાન પુરુષ કોઈ ખાસ ધર્મ કે પંથને હોતો જ નથી. તે પ્રચલિત બધા પથેની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પથને, હોય છે. જે મહાન પુરુષ વિશેનું આ સૈકાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તે ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ. આ “અસ્તિ-નાસ્તિ’ વાદમાં જ જૈનપણું આવી જાય છે.
–પ્રસ્થાન “ગાંધીમણિમહોત્સવાંક ?, સં. ૧૯૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org