________________
૫૦ ]
દર્શોન અને ચિંતન અધા જ સારા વિચારકા ગાંધીજીને જૈન માને છે અગર તેમનામાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતા આતપ્રાત થયેલા જુએ છે. ખીજા ધર્માંક્થા વિશે ન કહેતાં આ લેખમાં જૈન પથ વિશે જ મુખ્યપણે કહું છું તેનાં એ કારણેા છે : એક તે લેખની મર્યાદા અને ખીજું કારણ બધી વસ્તુને એકસાથે ન્યાય એક જ જણ આપે તેમાં અન્યાય થવાને સભવ. ત્યારે આપણે હવે જોઈ એ કે ગાંધીજીમાં કયાં એવાં જૈનધમ માન્ય ખાસ તત્ત્વ આતપ્રેાત થયાં છે કે જેને લીધે જેના અગર કેટલાક જૈનેતરા એમને જૈન કહેવા અને માનવા પ્રેરાય છે.
>
જૈન ધર્મોના આચાર અને વિચાર સબંધી એ તત્ત્વ એવાં વિશિષ્ટ છે કે જેને લીધે એ ધર્મ બીજા પથાથી જુદો પડે છે. એ એ તત્ત્વો એટલે અહિંસા અને અનેકાન્તવાદ, આ બન્ને તત્ત્વા માત્ર મધ્યસ્થપણાની પ્રકૃતિમાંથી જન્મ્યા છે અને વિકસ્યા છે. ગાંધીજીની પ્રકૃતિમાં મધ્યસ્થપણું જે સહજ રીતે જ ન હોત તા આ બે તત્ત્વો તેમના જીવનમાં ન આવત એમ મને ચોખ્ખુ લાગે છે. તેમની પ્રકૃતિના બંધારણમાં મધ્યસ્થપણાના સંસ્કારા ખીજરૂપે હતા એ એમની ‘ આત્મકથા ' કહે છે. સ્વાભાવિક મધ્યસ્થપણું હાવા છતાં તેમને જૈન ધર્મના વિશિષ્ટ અભ્યાસી શ્રીમદ્ રાયચંદ્ર જેવા ગાઢ પરિચય થયા ન હાત તાપણુ એ તત્ત્વા જે રીતે તેમના જીવનમાં દેખા દે છે તે રીતે આજે હાત કે નહિ એ શંકાસ્પદ છે. ગાંધીજીના જીવનમાં બધા ધર્મોને માન્ય અને છતાં જૈન ધર્મની ખાસ ગણાતી અહિંસા ઊતરી છે, પણ તે જૈન બીબામાં ઢળાયેલી નહિ. નાના અનેકાંતવાદ ગાંધીના પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક શબ્દમાં દેખાય છે, પણ તે સુધ્ધાં જૈન ભાષા અને જૈન રૂઢિના બીબામાં ઢળેલે નહિ. પોતાની પ્રકૃતિમાંથી જ જન્મેલાં અને શ્રીમદ્ રાયચંદ્ર આદિ જેવાના પરિચયથી કાંઈક વિશિષ્ટ રીતે પાષણ પામેલાં એ એ તત્ત્વા જો સામ્પ્રદાયિક બીબામાં ઢળેલા જ, ગાંધીજીના જીવનમાં આવ્યા હોત તો ગાંધીજીના જીવન વિશે આજે વિચારવાનું રહેત જ નહિ. તે આપણા જેવા પ્રાકૃત હૈાત અને તેમના જીવનમાંથી મેળવવાપણું ન જ હોત, અથવા ઓછામાં
હુ‘ હોત.
ગાંધીજીએ અહિંસાને અપનાવી, પણ તે એવી રીતે અપનાવી કે અત્યાર સુધીમાં કાઈ પણ સાધારણ કે અસાધારણ માણસે એ રીત અંગીકાર જ કરી નહેાતી, અથવા કાઈ તે બહુ સ્પષ્ટપણે અને વ્યાપકપણે એ રીત સૂઝી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org