________________
ગાંધીજી અને જૈનત્વ
[ ૫૬૯ ધર્મ અને પંથના લેકે ગાંધીજીને પોતાના ધર્મપથના કહેતાં અને મનાવતાં શા માટે સંકોચાતા હશે એ સવાલ થાય છે. આ સવાલ વિષમ છે, પણ તેને ઉત્તર તે વિષમ નથી.
ગાંધીજીને આત્મા જેવો પ્રાચીનપણને પક્ષપાતી દેખાય છે તે તે ખરી રીતે નથી. તેમને કોઈ પણ વસ્તુ માત્ર જૂની હેવાને કારણે જ નથી ગમતી અને માત્ર નવી હોવાને કારણે તેઓ તેને ફેંકી નથી દેતા. તેમની કસોટી સખત છે અને ઉદારતા તે તેથીયે વધારે છે. એટલે દરેક વસ્તુને તેઓ જીવનસુધારણાની તેમ જ પ્રજાજીવનમાં ઉપયોગીપણની દૃષ્ટિએ કસે છે, એ કસોટીમાં તેમને જન્મસિદ્ધ ધર્મપંથનાં ઘણાં તો ફેંકી દેવાં અગર બદલી દેવાં પડ્યાં છે અને બીજા બીજા ધર્મપથનાં કેટલાંક તો એમ ને એમ અગર ડાઘણા ફેરફાર સાથે તેમણે સ્વીકાર્યો છે, જીવનમાં ઉતાર્યા છે અને કેટલીક બાબતમાં તો તેમણે એ તત્ત્વોને પિતાનું વિશિષ્ટ સ્વરૂપ અધ્યું છે. સનાતન પંથ એટલે અચલ પંથ. તે બુદ્ધિપૂર્વક ફેરફાર અને પરિવર્તન કરવાની પહેલ નહિ કરનાર પંથ. જે એવું પરિવર્તન કરે તે તેની નજરે નાસ્તિક અગર સનાતન પંથ બહારનો; એટલે ગાંધીજીને પોતાને જન્મસિદ્ધ ધર્મપંથ તે પચાવે એવી તેની આંતરશક્તિ જ નથી. સનાતન પંથી હેય અને ગાંધીજીને પોતાના પંથન માને તે તેને જૂની સ્મૃતિઓ, પુરાણો વગેરે ફેંકી દેવું પડે અગર તેમાંના કેટલાક ભાગ ઉપર હરતાલ દેવી પડે. એમ કરવા જતાં તે તે અચલપંથી મટી જ જાય. એટલે કેઈ પણ સનાતનપંથી એમ જ કહેવાનો કે ગાંધીજી યુરોપમાં જઈને અગર બાઈબલ વગેરે વિધમાં શાસ્ત્રોને સાદર અભ્યાસ કરીને, તેમ જ કદાચ સનાતનપંથના પ્રૌઢ આચાર્યો પાસેથી વેદ, ઉપનિષદનું ખરું મમ નહિ સમજવાને કારણે, સનાતન ધર્મનાં તત્તે બરાબર સમજી શક્યા નથી, અને એ તત્ત્વોનું મહત્ત્વ તેમના ધ્યાનમાં ખરેખર ઊતર્યું નથી. જો કે બીજા સુધારક પશે પણ અનેક બાબતોમાં રૂઢિચુસ્ત અને અચલ જેવા હોય છે, છતાં તેમની મૂળ પ્રકૃતિમાં સુધારકપણાનું તત્ત્વ હોવાથી તેઓ ગાંધીજીની પ્રકૃતિને પિતાથી બહુ દૂર નથી લેખતા. ગાંધીજીના આત્મામાં જે શેધનું અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ છે તેને મેળ બધા જ સુધારક ગણાતા પથેની મૂળ પ્રકૃતિ સાથે વધારે બેસે છે. આ જ કારણને લીધે સનાતન સિવાયના બધા જ ધર્મપંથવાળાએ ગાંધીજીને પોતાની નજીક આવા અગર પોતે ગાંધીજીની નજીક જવા ઓછુંવત્તું ઈચ્છે છે. આ રીતે જૈન સમાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org