________________
ગાંધીજી અને જૈનત્વ
[૩૭] . દુનિયામાં આજે જેટલા જાણતા ધર્મપ છે લગભગ તે બધા ગાંધીજીને હૃદયથી અપનાવવા અગર પિતાના પંથના અનુગામી બનાવવા કે મનાવવા થોડોઘણો પ્રયત્ન કરે છે. મુસલમાનો કેટલાંક વર્ષ અગાઉ ગાંધીજીને જ ખલીફા બનાવવાની વાતો કરતા. ખ્રિસ્તીઓ તે બહુ જ ઉમળકા સાથે ગાંધીજીને ખ્રિસ્તી બનાવવા પ્રયત્ન કરી પણ ચૂકેલા અને અત્યારે પણ ઘણાયે મનથી એમ ઈચ્છતા હશે. આર્યસમાજીએ તે આવી બાબતમાં પાછા પડે એવા છે એમ માનવા કોઈ ભાગ્યે જ તૈયાર હશે. ઘણુ સમજદાર બૌદ્ધો ગાંધીજીમાં બૌદ્ધ ધર્મની નવી આવૃત્તિનું દર્શન કરી રહ્યા છે. જૈનેને તો એ દાવો જ છે અને તેને ગાંધીજીના પિતાના જ કથનને ટેકે છે કે તેમનામાં જૈન ધર્મનાં કેટલાંક વિશિષ્ટ તો અમુક કારણથી આવેલાં છે.
જે બધા ધર્મપંથવાળા ગાંધીજીમાં પિતપોતાના પંથનાં વિશિષ્ટ તો જોઈ રહ્યા છે અને તેને લીધે તેઓ ગાંધીજી પાસે પિતાનો પંથ સ્વીકારાવવા અગર તેમની પાસે પિતાના પંથનું મહત્ત્વ ગવરાવવા ઈચ્છે છે તે ધર્મ પંથમાં ફક્ત સુધારક અગર ક્યારેક ક્રાંતિકારક તરીકે પ્રસિદ્ધ થયેલા (ભલે આજે તે તદ્દન સ્થિતિચુસ્ત અને નિષ્ક્રિય થયા હોય) પંથેનાં જ નામ આવે છે. ગાંધીજી જન્મથી જે ધર્મપંથના છે તે ધર્મપંથના એટલે સનાતન ધર્મના લેકે ગાંધીજીને પિતાના પંથના સમજી બહુ હરખાતા કે મલકાતા નથી અને સનાતન પંથનો મોટે રૂટિબદ્ધ ભાગ તો ગાંધીજીને પિતાના પંથના કહેતાં ને મનાવતાં કદાચ સંકેચાય પણ છે. જ્યારે બીજા પંથવાળા કઈ પણ રીતે તેમના પંથ વિશે ગાંધીજી પાસે સહાનુભૂતિવાળા બે શબ્દો બેલાવવામાં અને કદાચ કડવી ટીકા સાથે સુધ્ધાં તેમના શ્રીમુખથી પિતાના ધર્મ પંથ વિશે કોઈ મહત્ત્વપૂર્ણ સાંભળવામાં ગૌરવ માને છે અને તે માટે ખૂબ પ્રયત્નશીલ રહે છે, ત્યારે ગાંધીજી ડાંડી પીટીને જે ધર્મને પોતાનો ધર્મ અને પિતાને પંથ કહે છે તેમ જ જેને સંપૂર્ણ ધર્મ તરીકે ઓળખાવે છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org