________________
ધર્મ ક્યાં છે?
[ ૨૫ તારવી બતાવે છે, પણ જ્યારે એમના વર્તન તરફ નજર કરીએ ત્યારે જે અસંગતિ તેમની રહેણી-કહેણી વચ્ચે હોય છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. સેવા, સંપૂર્ણ ત્યાગ અને અહિંસાને મહિમા ગાનાર તેમ જ તેના પ્રચાર માટે ભેખ લેનાર વર્ગ લોકોએ પરસે ઉતારી પેદા કરેલ પિસા જ્યારે માત્ર પિતાની સેવા ખાતર વપરાવે છે અને તદ્દન નકામા તેમ જ બોજારૂપ થઈ પડે એવા ક્રિયાકાંડ, ઉત્સવો, આડંબરે અને પધરામણીઓમાં તે પૈસો ખર્ચાવી ઊલટું ધર્મકૃત્ય કર્યાને સતિષ પિષે છે, ત્યારે સમજદાર માણસનું મન કકળી–પિકારી ઊઠે છે કે આવા આડંબરે અને ધર્મને શી લેવા દેવા ?
જે આડંબરે અને પધરામણીઓમાં જ ધર્મની પ્રભાવના અને વૃદ્ધિ હેય તે ગુણકારને હિસાબે જે વધારે આડંબર કરે-કરાવે તે વધારે ધાર્મિક ગણાવો જોઈએ. જે તીર્થો અને મંદિરે નિમિત્તે માત્ર ધનસંચય કરે એ ધર્મનું એક લક્ષણ હોય છે જે પેઢી તેવું ધન વધારે એકત્ર કરે અને સાચવે તેજ વધારે ધાર્મિક ગણાવી જોઈએ. પણ બીજી બાજુ પથદેહના પોષકે જ તેથી ઊલટું કહે છે અને માને-મનાવે છે. તેઓ પિતાના વાસ્તે થતા આડંબર સિવાય બીજાઓના આડંબરનું મહત્ત્વ કે તેનું ધાર્મિકપણું નથી ગાતા. એ જ રીતે તેઓ દુનિયાના કોઈ પણ બીજા ધર્મપંથની પેઢીની પુષ્કળ દેલતને ધાર્મિક દેલત નથી ગણતા. જે આમ છે તો એ પણ ખુલ્લું છે કે બીજા પંથના પિષકે પહેલા પંથના પિષકોના આડંબર તેમ જ તેની પેઢીઓને ધાર્મિક ન ગણે. જે બન્ને એક બીજાને અધાર્મિક જ લેખે તો આપણે શું માનવું? શું બધા ધર્મપથના આડંબરે ધાર્મિક છે કે કેઈ એક પંથના જ કે બધા જ પંથના આડંબરેને ધર્મ સાથે કશી લેવાદેવા નથી? આપણું વિવેકબુદ્ધિ જાગરિત હોય તો આપણે જરા પણ મુશ્કેલી સિવાય નક્કી કરી શકીએ કે માનવતાને ન સાંકળે, એમાં અનુસંધાન પેદા કરે એવા ગુણે ન પ્રગટાવે તેવી કોઈ પણ બાબત ધાર્મિક હોઈ જ ન શકે; એને ધર્મભાવના કહી જ ન શકાય.
અનુયાયી વર્ગમાં ઉપરની સમજ પેદા કરવી, તે સમજ ઝીલવા અને બીજાને કહેવા જેટલું નમ્ર સાહસ કેળવવું એ જ ધર્મનું શિક્ષણ છે. આ શિક્ષણ લઈએ તે આપણને સ્પષ્ટપણે જણાય કે ધર્મ કર્યો છે? આપણને એ શિક્ષણ દીવા પેઠે બતાવી શકે કે ધર્મ એ એના આત્મામાં છે અને તેને આત્મા
એટલે જીવનમાં સદાચાર અને સંગી વર્તન. આ આત્મા હોય તે દેહની કિંમત છે, પણ આત્મા ન હોય તે તે દેહની મડદાથી જરાયે વધારે કિંમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org