SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] દર્શન અને ચિંતન કોઈ ગરજી ગંગા અને હરિદારનું મહત્ત્વ ભાગ્યે જ સ્વીકારશે. કઈ પાદરી જેરૂસલેમની પેઠે મક્કા, મદિનાને પવિત્ર નહિ માને. એ જ રીતે એક પંથના પંડિતો બીજા પંથના પિતા કરતા અતિમહત્ત્વનાં શાસ્ત્રોનું પણ મહત્વ નહિ સ્વીકારે. એટલું જ નહિ, પણ તેઓ બીજા પંથનાં શાસ્ત્રને અડવા સુધ્ધાંની પિતાના અનુયાયી વર્ગને મનાઈ કરશે. ક્રિયાકાંડની બાબતમાં તો કહેવું જ શું? એક પંથને પુહિત પિતાના અનુયાયીવર્ગને બીજા પંથમાં પ્રચલિત એવું તિલક સુધ્ધાં કરવા નહિ દે. આ ધર્મપંથનાં કલેવરેની અંદરોઅંદરની સૂગ તેમ જ તકરારેએ હજારો વર્ષ થયાં પંથમાં એતિહાસિક જાદવાસ્થળી પિષી છે. ' આ રીતે એક જ ધર્મના જુદા જુદા દેહનું યુદ્ધ ચાલ્યા કરે છે. તેનું એક કારણ તે ઉપર બતાવવામાં આવ્યું જ છે અને તે એ કે તે ઉપર નભતા વર્ગની અકર્મણ્ય અને સગવડપ્રિય જિંદગી. પણ એનું બીજું પણ એક કારણ છે, અને તે છે દરેક પંથના અનુયાયીવર્ગની મતિમંદતા તેમ જ તેજહીનતા. જે આપણે ઈતિહાસને આધારે એમ સમજીએ કે મોટે ભાગે પંથના પિષકે માનવતાને સાંધવાને બદલે ખંડિત જ કરતા આવ્યા છે તે આપણી અનુયાયી વર્ગની એ ફરજ છે કે આપણે પોતે જ ધર્મનાં સૂત્ર હાથમાં લઈએ અને તેને વિષે સ્વતંત્ર વિચાર કરીએ. એક વાર અનુયાયીવર્ગમાંથી આ વિચારી અને સાહસી વર્ગ બહાર પડે તો એ પંથના દેહપિષકોમાંથી પણ કોઈ એને સાથ આપનાર જરૂર મળી રહેવાનો. ધર્મપંથના પિષકોમાં કોઈ યોગ્ય નથી જ હતો કે એગ્ય નથી જ સંભવતે એવું કાંઈ નથી, પણ ધીરે ધીરે દરેક પંથનું વાતાવરણ એવું અન્યોન્યાશ્રિત થઈ જાય છે કે તેમાં એક સારો પુરોહિત કે પંડિત કે ગુરુ કાંઈક ખરું કહેવા કે વર્તવા ધારે તેય તે બીજાથી ડરે છે અને બીજો ત્રીજાથી ડરે છે. જેમ બધા જ લાંચિયા કામ કરતા હોય તેવે સ્ટેશન આદિ સ્થળે એકાદ બિનલાંચિયાને જીવન ગાળવું કાંઈક અઘરું થઈ પડે છે તેમ પંથદેહના પિષકોમાં કોઈ યોગ્ય વ્યક્તિ વિષે બને છે. અસાધારણ શક્તિ ન હોય ત્યાં લગી પુરહિત, પંડિત કે ગુરુવર્ગમાં ઊછરેલ હોય તેવાને તેની જ કુલપરંપરાગત પ્રવૃત્તિને વિરોધ કરવાનું અગર તેમાં ઉદાર દષ્ટિબિન્દુ દાખલ કરવાનું ભારે અઘરું થઈ પડે છે. જે ધર્મ સૌને એકસરખો પ્રકાશ આપવાની અને સૌને સમાનભાવે જોવાની દૃષ્ટિ અર્પવાની શક્તિ ધરાવે છે તે જ ધર્મ પથમાં અટવાઈ અસ્તિત્વ ગુમાવી દે છે. પથપોષક વર્ગ જ્યારે ધર્મનાં પ્રવચન કરે ત્યારે આખા જગતને સમભાવે જોવાની અને સૌની નિર્ભેળ સેવા કરવાની વાત કરે છે અને એ વાત પિતાનાં શાસ્ત્રોમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy