SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ ] અપરા વિદ્યા અને પરા વિદ્યાઃ શ્વેતકેતુની વાત સામાની કેવળ અપરા વિદ્યામાં પૂર્ણતા ન માનવાની અને પરા વિદ્યા સુધી આગળ વધવાની તાલાવેલી આપણને પ્રાચીન યુગના વાતાવરણની યાદ આપે છે. છાંદોગ્યેાપનિષદમાં શ્વેતકેતુની વાત આવે છે એને પિતા ઉદ્દાલક આરુણિ એ પણ રુદ્રસામાની પ્રકૃતિને યાદ આપતા બ્રાહ્મણ છે. જ્યારે શ્વેતકેતુ ખાર વર્ષ લગી ગુરુકુળમાં રહી અનેક શાસ્ત્રીય વિદ્યાઓ——અપરા વિદ્યાએ—ભણી પાઠો ફર્યો ત્યારે પિતા આરુણિએ તેને એક પ્રશ્ન પૂછ્યો કે ‘તું બધું શીખ્યા ખરા, પણ એ શીખ્યો છે કે જે એક જાણવાથી બધુ જણાઈ જાય ?? આ પ્રશ્ન પરા વિદ્યા—આત્મવિદ્યા બ્રહ્મવિદ્યાના હતા. તે કાળે શાસ્ત્રીય વિદ્યાએ શીખનાર અને શીખવનાર પુષ્કળ હતા, પણ બ્રહ્મવિદ્યા વિરલ હતી. તેથી જ ઉચ્ચ કાટિના વિદ્વાના અને આધ્યાત્મિકા પોતાનાં શિષ્ય કે સંતતિને અધ્યાત્મવિદ્યા મેળવવા ખાસ પ્રેરતા. છેવટે પિતા આરુણિ શ્વેતકેતુને પાતે જ પૂછેલા પ્રશ્નના ઉત્તરરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત અને તલસ્પર્શી જ્ઞાન આપે છે. સ્વસામા પાતે તા પોતાના પુત્ર રક્ષિતને પરા વિદ્યા આપવા નથી બેસતી, પણ તેની અભિરુચિ અને ઝંખના પરા વિદ્યા પ્રત્યે અસાધારણ છે. એટલે જ ખાર વર્ષ પછી પાછા ફરેલ વત્સલ પુત્રને એવી પરા વિદ્યા શીખવા રજા આપતાં તે દુઃખ નથી અનુભવતી. સામા રક્ષિતને પોતાના ગુરુ તાસલિપુત્ર પાસે પૂવિદ્યા મેળવવા મેાકલે છે. પૂવિદ્યા એ જૈન પર્ પરાના શબ્દ તે, પણ તે ઉપનિષદોની પરા વિદ્યાને અપરા વિદ્યાઓ સમાય છે ખરી, પણ તેનું મહત્ત્વ આત્મવિદ્યાને લીધે છે. સ્થાને છે. પૂર્વાવિદ્યામાં દર્શન અને ચિંતન માતાની વૃત્તિ સંતોષવા અને બ્રાહ્મણુસુલભ જ્ઞાનવૃત્તિ વિકસાવવા રક્ષિત ખીજો કશા પણ વિચાર કર્યાં સિવાય પૂરા ઉત્સાહથી જૈન ગુરુ તેાસલિપુત્ર પાસે જાય છે; પૂર્વાંવિદ્યા મેળવવા છેવટે વજ્રસ્વામીનું પાસુ પણ સેવે છે. તેમની પાસેથી પ્રાપ્ય સધળું જ્ઞાન મેળવી તે માતાને ફ્રી મળવા આવવાના વિચાર કરે છે, પણ તે આવે—ન આવે તેટલામાં તા માતાનું વત્સલ હૃદય ધીરજની સીમા ઓળંગે છે અને નાના પુત્ર ફલ્ગુને મોટા ભાઈ રક્ષિતને તેડી લાવવા રવાના કરે છે. ફલ્ગુ પણ છેવટે તે સરસ્વતીના પુત્ર જ હતા, એટલે રક્ષિતના વિદ્યાપાશમાં એ સપડાય છે. છેવટે બન્ને ભાઈઓ જૈન સાધુરૂપમાં માતાને મળે છે. એને બન્ને પુત્રાની અંતર્મુખ સાધનાથી એવા પરિતાષ થાય છે કે હવે તેનુ મન સ્થૂળ જીવનવ્યવહારામાં સંતોષાતુ નથી, અને તે પણ ત્યાગને માર્ગે વળે છે. પિતા સામદેવ પુરાહિત મૂળે તો વૈદિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy