________________
પુનઃ પંચાવન વર્ષે
[ પs સંસ્કાર ધરાવતે બ્રાહ્મણ છે, પણ તેને કોઈ વારસાગત સંપ્રદાયબંધન નથી, એટલે તે પણ પત્નીને સાથ આપે છે ને દંપતી જીવનશુદ્ધિ સાધવા પુત્રની સાથે ચાલી નીકળે છે. ધ્યાન ખેંચતી બાબતે
આ કથા મૂળ તે અતિહાસિક છે અને તે વિક્રમના બીજા સૈકાની ઘટના છે. આ વાર્તામાં ખાસ ધ્યાન ખેંચે એવી બેચાર બાબતે છેઃ પહેલી તે એ કે બ્રાહ્મણ પ્રકૃતિમાં શાસ્ત્રીય વિદ્યાઓને મેળવવાનું સહજ બીજ રહેલું છે. બીજી બાબત એ છે કે મા એ કઈ સાધારણ માતા જેવી માતા નથી, તેનું દર્શન પારદર્શી હોઈ તે પર વિદ્યા ન મેળવાય ત્યાં લગી અપરા–શાસ્ત્રીય વિદ્યાઓને અપૂરતી કે અસાધક લેખે છે. ત્રીજી બાબત એ છે કે પુત્ર પણ એવો જ વિદ્યાકામ અને માતૃભક્ત છે કે માતાની ઈચ્છાને માન આપવા અને લભ્ય ગમે તે વિદ્યા મેળવવા માટે બધું જ કરી છૂટે છે, એટલે સુધી કે, તે છેવટે ગાઉં શ્યધર્મ ને સ્વીકારતા માતાનું મન સતિષવા અને પિતાની આધ્યાત્મિક અભિલાષા તૃપ્ત કરવા આજીવન ત્યાગમાર્ગે વળે છે. ચોથી બાબત તે કાળના સંસ્કારજીવન અને રાજકીય જીવનને લગતી છે. તે કાળે માળવાની ઉજજયિની અને મંદસોર એ જૈન પરંપરાનાં અને સામાન્ય રીતે વિદ્યા માત્રનાં કેન્દ્રો હતાં. ઉજ્જયિની સાથે તે પાટલિપુત્રને સજકીય સંબંધ અશોકના સમયથી જ બહુ વધી ગયેલ. તે ઉત્તરોત્તર વધે જ જતું હતું, અને વિક્રમ સંવતના પ્રારંભ સુધીમાં તે પાટલિપુત્રની મહત્તાનું સ્થાન ઉજ્જયિનીએ લીધું હતું. અશોકને પૌત્ર સંપ્રતિ ઉજ્જયિનીને સૂબે હતું ત્યારથી જૈન ધર્મને સંબંધ વધારે ને વધારે ઉજજયિનીની આસપાસ વિક હતો. મા બ્રાહ્મણ કુટુંબની હતી અને છતાં તેનામાં જૈન પરંપરા પ્રત્યે ઊંડી મમતા હતી. એ સૂચવે છે કે તે કાળે માળવામાં જૈન પરંપરા વધારે પ્રભાવ ધરાવતી હોવી જોઈએ. પતિ વૈદિક પરંપરાના સંસ્કાર ધરાવે અને પત્ની જૈન પરંપરાના, છતાં દાંપત્યજીવનમાં કોઈ અથડામણું ન આવે એ પણ તે કાળના સંસ્કારી જીવનનું એક સૂચક લક્ષણ ગણાય.
આ બધી ધ્યાન ખેંચે એવી બાબતે સ્ટસોમાની સ્વલક્ષી વીરવૃત્તિની આસપાસ ગૂંથાયેલી છે. લેખકે સમાની એ વીરવૃત્તિના ચિત્રને એવો ઉઠાવી આપે છે કે તે વાંચતાં જ ઉપરની બધી બાબતે એક પછી એક મન ઉપર તરવરવા લાગે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org