SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન તેના મનના ઊંડા પ્રદેશમાં ધર્મભાવનાનાં અને સંયમનાં બીજ તે વવાઈ ચૂક્યાં છે. તે ત્યાગી મટી પૂરે ભેગી બને, પણ એની ત્યાગરુચિ કાયમ છે. તે જ કોઈ ને કોઈ વ્યક્તિને ત્યાગ તરફ વાળે છે અને અનેક જણને ત્યાગી બનાવવાનું જાણે વ્રત લીધું હોય તેમ તે વેશ્યાના ઘરમાં રહ્યા છતાં, નિયમિતપણે પિતાનો ઉદ્યોગ ચાલુ રાખે છે. વળી નંદિષણ એ કોઈ સામાન્ય માટીનો માનવ નથી. એની ભેગવાસનાને પરિપાક થયો છે ને મેગ્ય નિમિત્ત પણ મળી જાય છે. એણે કરેલ સંકલ્પ પ્રમાણે જે દિવસે તેને ત્યાગ સ્વીકારનાર નવી વ્યક્તિ નથી મળતી અને ભેજન વગેરેના દૈનિક ક્રમમાં મોડું થાય છે ત્યારે પેલી ગણિકા મીઠું મેણું મારે છે કે કઈ બીજે ત્યાગ લેનાર ન મળે તે તમે જ કાં નથી તૈયાર થતા ? ગણિકાએ મેણું તો માર્યું મશ્કરીમાં, પણ એ જાણીતી ન હતી કે એની મશ્કરી એને ભારે પડશે ! એ ક્યાં જાણીતી હતી કે આ નંદિષેણ કોઈને વાર્યો રહે તેમ નથી ? નંદિષણની સિંહવૃત્તિને એટલું જ જોઈતું હતું. અને તે પાછો ચાલી નીકળ્યો. દેહદમનથી ઉપશાંત નહિ થયેલ ભોગવાસના ભોગથી ઉપશાંત બની અને સાથે જ ધર્મ–આરાધને જે બીજે વાવ્યાં હતાં તેના પણ સાત્ત્વિક અંકરે સ્વાભાવિક રીતે ઊગ્યા. આમ ભેગવાસનાને ઉપશમ અને ત્યાગસંયમના વિવેકી સંસ્કારે એ બંનેને સુમેળ થતાં જ પિતાના ધર્મગુરુ ભગવાન મહાવીર પાસે જઈ સ્થિર મનથી જીવનશૈધનના કામમાં લાગી જાય છે. નદિષેણની જીવનરેખા તે લેખકે આકર્ષક રીતે આલેખી છે તેમાં ઘણે સ્થળે આવતું માનસિક વૃત્તિઓનું વિશ્લેષણ અનુભવસિદ્ધ અને ધ્યાન ખેંચે એવું છે. પણ ઉપર જે ટૂંક સાર આપે છે તે ઉપરથી એટલું જાણી શકાશે કે ક્ષત્રિયવૃત્તિ કેવી ચંચળ અને છલાંગ મારનારી હોય છે. એ વૃત્તિ જ્યારે કાબૂમાં આવે છે ત્યારે તે કેટલી કાર્યસાધક બને છે, અને કાબૂમાં ન આવે ત્યાં લગી તે માણસને કેવી રીતે દડાની પેઠે આમથી તેમ ફળે છે ! આખી વાર્તાને ધ્વનિ તે છેવટે એ જ છે કે અંતરવાસના બળવતી હોય તે દેહદમન કારગત થતું નથી. જ્યારે એ વાસનાનું બળ એક કે બીજી રીતે ઉપશાંત થાય ત્યારે જ સાધના ધર્મસાધના નીવડે છે. આ સત્ય ભલે નદિષેણની વાર્તામાં નિરૂપાયું હોય, પણ તે આખી માનવજાત માટે સાચું છે. એટલે લેખકે નંદિષેણની વાર્તા દ્વારા વાચકનું ધ્યાન એ મુખ્ય સત્ય તરફ જ આકર્ષવા સુંદર રીતે પ્રયત્ન કર્યો છે. છઠ્ઠી વાર્તા કપિલકુમાર, જે છઠ્ઠી વાર્તાને નાયક છે, તે વિશે અહીં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy