SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ પંચાવન વર્ષે– | [ ૫૫૫. પ્રત્યેક વાર્તાને સૂર પ્રથમ વાર્તા ઉપર જે વીરવૃત્તિનો નિર્દેશ કર્યો છે તે વીરવૃત્તિ ક્ષત્રિય પ્રકૃતિના પાત્રમાં જે રીતે આવિર્ભાવ પામતી દેખાય છે તે કરતાં બ્રાહ્મણપ્રકૃતિના પાત્રમાં કાંઈક જુદી જ રીતે આવિર્ભાવ પામતી દેખાય છે. ક્ષત્રિયપ્રકૃતિ એટલે પરંપરાગત ગુણપ્રધાન પ્રકૃતિ. એમાં ચંચળતાની અને જુસ્સાની વૃત્તિનું મિશ્રણ દેખાય છે. આ વસ્તુ પ્રથમ વાર્તાના મુખ્ય પાત્ર નંદિષણમાં લેખકે વ્યક્ત કરી છે. નંદિષેણ એ રાજગૃહીના ક્ષત્રિય નરેશ બિંબિસાર અપર નામ શ્રેણિકને પુત્ર છે. લધુ વયે ભગવાન મહાવીરના ત્યાગ-તપસ્યામય સાત્ત્વિક વાતાવરણથી આકર્ષાઈ ત્યાગીજીવન સ્વીકારવા તે તૈયાર થાય છે. ભગવાન એની ક્ષત્રિય પ્રકૃતિ અને કુમારવૃત્તિના દીર્ધદષ્ટિથી વિચાર કરી તેને સંપૂર્ણ ત્યાગનું સાહસ ખેડતાં રોકે છે, પણ નંદિણ છેવટ તે રહ્યો રાજપુત્ર અને ક્ષત્રિય પ્રકૃતિનો, એટલે એ પોતાના ત્યાગલક્ષી આવેગને રોકી શકતો નથી. તે ત્યાગી તે બને છે, પણ તેનું મન જેમ જેમ વધારે ને વધારે તારુણ્યમાં પ્રવેશ કરે છે તેમ તેમ તેની ભગવાસનાઓ વધારે અને વધારે ઉત્પાદક બનતી જાય છે. મંદિષેણ એને શમાવવા અને કાબૂમાં લેવા અનેકવિધ દેહદમન કરે છે, પણ એ દમન છેવટે તે દેહશેષણમાં જ પરિણમે છે. નંદિષેણ રહ્યો સ્વમાની, એટલે તેને પિતાની સાધના ભગવૃત્તિનું ઉપશમન કરતી ન જણાઈ કે તરત જ તે આવેગને સામે છેડે જઈ નિર્ણય કરે છે કે જે દેહદમન ભગવાસનાનું શમન નથી કરતું તે એવા દેહદમનથી શે લાભ ? અને ભોગમાં પડી અપજશ મેળવવાથી પણ શો લાભ? –આ વિચાર તેને આત્મઘાત કરવા પ્રેરે છે, પણ આત્મઘાતની છેલ્લી ક્ષણે વળી તેનું મનલેલક સામે છેડે જઈ થોભે છે અને વિચાર કરે છે કે દેહપાત એ કાંઈ કાયમી ઉકેલ નથી. જાણે કે તેના મનમાં ભગવાન મહાવીરે ભાખેલ ભાવીને પડઘે ન પડી રહ્યો હોય તેમ એ પાછે ઉત્કટ તપ અને ધ્યાનમાં જ લીન થે. એને તપગથી લબ્ધિ કે વિભૂતિ લાધી. તે ભિક્ષા પર્યટનમાં અચાનક એક ગણિકા ને ત્યાં પહોંચે છે; ધર્મલાભ આપી ઊભો રહે ત્યાં તે ગણિકા એને એમ કહીને મોહપાશમાં પાડે છે કે અહીં તે ધર્મલાભ નહિ પણ અર્થલાભ જોઈએ! નંદિષણ પ્રાપ્ત વિભૂતિબળથી ધનવર્ષ કરાવે છે ને છેવટે એ જ ધન ને એ જ વેશ્યાના ગોપભોગમાં પડી આવેગની બીજી જ દિશામાં તણાય છે.. આમ ભગવાનની આગાહી સાચી પડે છે, પણ નદિષેણ એ કાંઈ માત્ર ચંચળતાની જ મૂર્તિ નથી. કાંચન અને કામિનીના વશીકરણમાં પડ્યા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy