________________
દર્શન અને ચિંતન
લાગે છે
કે મનુષ્ય જાતિમાં એવુ જ દેખાય છે કે,
મનેાવૃત્તિના અભ્યાસ ઉપરથી એમ શકયતા ગમે તેટલી હેાય છતાં, સામાન્ય ધારણ તો માણસ જે પ્રવાહમાં જનમ્યા હાય કે જે વહેણમાં તણાતા હોય તેમાં જ જીવન ગાળવા પૂરતી માંડવાળ કરી લે છે; અને અનુકૂળ સયાગાની વાત તેા બાજુએ રહી, પણ પ્રતિકૂળ સયોગા સુધ્ધાંમાં તે મેટી ફાળ ભરી શકતા નથી; છતાં એવા પણ અસંખ્ય દાખલાએ દરેક દેશ અને દરેક કાળમાં મળી આવે છે કે જેમાં માણસ ઊર્મિ અને વૃતિના વેગને વશ થઈ એક છેડેથી સાવ સામે અને બીજે છેડે જઈ એસે. વળી ત્યાં ચેન ન વળે કે ઠરીઠામ ન થાય તેા માણસ પાછે પ્રથમ છેડે આવી ઊભા રહે છે. આવુ સામસામેના છેડા ઉપર પહેાંચી જવાનું લેાલક જેવું મનેાત્તિચક્ર માણસ જાતમાં છે. તેમ છતાં તે લેાલક જેવુ યાંત્રિક નથી કે જે એક બિંદુએ પહેાંચ્યા પછી ત્યાંથી અચૂકપણે પાઠ્ઠુ જ ફરે. જ્યાં લગી માણસના જીસ્સા, ઉત્સાહ કે ઊર્મિ પરલક્ષી હાય ત્યાં લગી તે તે લાલકની જેમ યાંત્રિક રહે, પણ સ્વલક્ષી થતાં જ તે યાંત્રિક મટી જાય છે, અને વિવેકપૂર્વક કાઈ એક જ છેડે ઠરીઠામ થઈ માનવતાની મંગળમૂર્તિ સર્જે છે. તેમાંથી જ આત્મશેાધનના અને તે દ્વારા સદ્ગુણાના સ્રોતના ફુવારા ફૂટે છે. અસાધરણ વેગની જરૂરઃ વીવૃત્તિનાં વિવિધ પાસાં
૫૫૪ ]
જે વ્યક્તિમાં આવે. અસાધરણ વેગ નથી જનમતે તે કાઈ ક્ષેત્રમાં બહુ લીલુ કે નવું નથી કરી શકતા. ઈતિહાસમાં જે જે પાત્રે અમર થયાં છે તે આવા કાઈ સ્વલક્ષી જુસ્સાને લીધે જ. એને આપણે એક વીરવ્રુત્તિ જેવા શબ્દથી ઓળખાવીએ તેા એ ચેાગ્ય લેખાશે. વીરવૃત્તિનાં પાસાં તે અનેક છે. કયારેક એ વૃત્તિ રાંગણમાં કે વિરોધી સામે પ્રજ્વળી ઊઠે છે, તે કયારેક દાન અને ત્યાગને માગે; વળી કયારેક પ્રેમ અને પરત્રાણને રસ્તે, તે કયારેક બીજા સદ્ગુણા દ્વારા. આમ એને આવિર્ભાવ ભલે, ભિન્ન ભિન્ન રીતે અને ભિન્ન ભિન્ન પ્રસંગે થતા હોવાથી જુદો દેખાય, છતાં મૂળમાં તો એ આવિર્ભાવ સ્વલક્ષી જ બનેલા હાઈ એને સાત્ત્વિક ઉત્સાહ કે સાત્ત્વિક વીરરસ કહી શકાય. સંગ્રહમાંની દરેક વાર્તાનું મુખ્ય પાત્ર એ આવા કાઈ ને કાઈ પ્રકારના સાત્ત્વિક વીરરસનું જ પ્રતીક છે એ વસ્તુ વાચક ધ્યાનપૂર્વક જોશે તે સમજી શકાશે.
આ છે આ વાર્તાના સામાન્ય સૂર. હવે આપણે એક એક વાર્તા લઈ એ વિશે કાંઈક વિચાર કરીએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org