SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ પંચાવન વર્ષે– [ ૫૫૩ પદબંધ પ્રાકૃત સઝાયમાં મળી આવે છે. એ સઝાયની સંસ્કૃત ટીકામાં ટીકાકારે તે તે સૂચિત પાત્રોની વિસ્તૃત જીવનરેખા આપેલી છે. પ્રસ્તુત વાર્તાના લેખકે એ ટીકાગત જીવનરેખાઓનો આધાર કેટલીક વાર્તાઓમાં લીધો છે, તે કેટલીક વાર્તાઓના આધાર તરીકે એમણે પ્રબંધચિંતામણિ જેવા મધ્યકાલીન પ્રબંધસાહિત્યનો ઉપયોગ કર્યો છે. વાર્તાઓને સામાન્ય સૂર લેખકે પ્રત્યેક વાર્તા દ્વારા જે રહસ્ય સૂચિત કરવા ધાર્યું છે તેને સ્ફોટ કરતાં પહેલાં, સમગ્ર વાર્તાસંગ્રહને એકંદર અને સામાન્ય સૂર શો છે તે જાણવું એગ્ય લેખાશે. બધી વાર્તાઓને એકંદર અને સામાન્ય સૂર છે વીરવૃત્તિ દર્શાવવાને. ભલે એ વૃત્તિ જુદી જુદી રીતે, અને જુદે જુદે માર્ગે તેમ જ જુદે જુદે પ્રસંગે તીવ્ર કે તીવ્રતમ રૂપે અવિર્ભાવ પામતી હોય, પણ સંગ્રહમાંની એવી એકે વાર્તા નથી કે જેમાં વીરવૃત્તિને ઉદ્દેક સૂચવાત ન હોય. વીરતાનું મૂળ ઉત્સાહમાં છે. ઉત્સાહ એ એક ચાલુ જીવનક્રમના સામાન્ય વહેણમાંથી છલાંગ મારી છૂટવાનો અને કેટલીક વાર તો આ છેડેથી તદ્દન સામે છેડે જઈ ઊભા રહેવાને વીર્યપ્રધાન ઉલ્લાસ છે. પરલક્ષી અને સ્વલક્ષી વીરવૃત્તિ આલે ઉલ્લાસ એ જ મનુષ્યને ઈતર પ્રાણીઓથી જુદો પાડે છે. વાઘ, સિંહ જેવાં ક્રૂર અને તોફાની પ્રાણીઓમાં શક્તિને ઊભરે દેખાય છે; કેટલીક વાર તે વીરવૃત્તિનું રૂપ પણ ધારણ કરે છે, પણ એ વૃત્તિ મનુષ્યની વીરવૃત્તિ કરતાં નાખી છે. પ્રચંડ બળશાળી અને આવેગી ઇતર પ્રાણીઓને જુસ્સો છેવટે પરલક્ષી હોય છે; એને કોઈ વિરોધી હોય તેની સામે જ તે ઠલવાય છે. ઈતર પ્રાણીઓને જુસ્સ કદી સ્વલક્ષી બની જ નથી શકતો; પિતાના વિધી કે દુશ્મનને મારી કે ફાડી ખાવામાં જ એ પરિણમે છે. જ્યારે મનુષ્યનો વીયૅલ્લાસ અગર જુસ્સો એ પરલક્ષી હોય છતાં તે સ્વલક્ષી પણ બને છે. મનુષ્ય વધારેમાં વધારે જ્યારે આવેગમાં તણાતું હોય અને પિતાના વિરોધીની સામે સમગ્ર શક્તિ અજમાવતા હોય ત્યારે પણ એનામાં એવી એક શક્યતા રહેલી છે કે તેને એ પરલક્ષી સે સાવ દિશા બદલી સ્વલક્ષી બની જાય છે અને તે જ વખતે તેને પિતાની જાત ઉપર પિતાને ગુસ્સો કે આવેગ ઠાલવવાને પ્રસંગ ઊભો થાય છે. એ જ સ્વલક્ષી વીરવૃત્તિ છે અને એ જ માનવતાની માંગલિક ભૂમિકા છે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy