________________
૫૫૨ ]
દર્શન અને ચિંતન મૂળ નિર્યુક્તિ અને શૂર્ણિ આદિમાં છે, તે બીજી કેટલીકનાં મૂળ ગૂજરાતમાં લખાયેલ પ્રબન્ધસાહિત્યમાં છે; જેમ કે, ઉદયન મંત્રી, આમ્રભટ અને ભૂયરાજ.
જૈન પરંપરા બૌદ્ધ જેવી અન્ય શ્રમણ પરંપરાઓની પેઠે જ, બ્રાહ્મણવર્ગ પ્રધાન નથી. એમાં ક્ષત્રિય અને ગૃહપતિ વૈશ્યનું પ્રાધાન્ય રહેતું આવ્યું છે. તેથી જ આપણે પ્રસ્તુત વાર્તાઓનાં મુખ્ય પાત્રોમાં મોટે ભાગે ક્ષત્રિય અને વૈશ્ય વર્ણ નિહાળીએ છીએ. બ્રાહ્મણોએ જૈન પરંપરા સ્વીકાર્યાના દાખલા વિરલ છે, એ હકીકત જૈન ઇતિહાસમાં જાણીતી છે. આર્ય રક્ષિત બ્રાહ્મણ હતા અને જૈન ભિક્ષુ બન્યા તે એ વિરલતા જ સૂચવે છે.
પ્રાચીન આગમમાં કે તે ઉપરના ભાષ્ય, નિર્યુક્તિ કે ચૂણિ જેવા ટીકાગ્રંથમાં જે નાનીમોટી કથાઓ આવે છે તેમાંથી કેટલાંક પાત્રોનાં નામ, પ્રાતઃસ્મરણીય સ્મૃતિસંગ્રહરૂપે રચાયેલ “ભરફેસરબાહુબલિ” નામની એક
* આ સંગ્રહમાંની વાર્તાઓનાં પ્રાચીન મૂળ નીચે મુજબ મળે છે?
પહેલી વાર્તાના મુખ્ય પાત્ર નંદિણ ઉલ્લેખ આવશ્યકર્ણિના ચોથા અધ્યચનમાં તથા નંદીસૂત્રમાં ઔત્પત્તિકી બુદ્ધિના વર્ણન પ્રસંગે મળે છે.
બીજી વાર્તાના નાયક સંચતિરાજનો અને છઠ્ઠી વાર્તાના કપિલમાને ઉલ્લેખ ઉત્તરાધ્યયનસૂત્રમાં છે.
ત્રીજી વાર્તામાંનાં સેમ અને આર્ય રક્ષિતને લેખ આવશ્યકનિર્યુક્તિ, ચર્ણિ અને દશવૈશાલિકની અગત્યસિંહની ચૂર્ણિમાં છે. આ ચર્ણિ મુ. શ્રી. પુણ્યવિજયજીને સર્વથા નવી જ મળી છે, ને તે બીજી બધી ચણિઓ કરતાં ઘણું જૂની છે.
ચોથી વાર્તામાંના શટાળ મંત્રીને ઉલ્લેખ આવશ્યકનિર્યુકિતમાં તેમ જ બૃહકલ્પમાં છે.
પાંચમી વાર્તામાંના ધન્ના-શાલિભદ્રનો ઉલ્લેખ ઠાણાંગસૂત્રના દશમા સ્થાનકની ટીકામાં છે.
સાતમી શાલ-મહાશાલની વાર્તાનું મૂળ ઉત્તરાધ્યયનના દશમાં અધ્યયનની ટીકામાં છે.
આઠમી મૃગાવતીની તથા નવમી કણિકટિકની વાર્તાનું મૂળ મહાવીરચરિત્રમાં છે. એમાંના હલ્ય-વિહલને ઉલ્લેખ ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશકમાં છે.
દસમી ઉદયન મંત્રી, અગિયારમી આમ્રભટ અને બારમી ભૂયાજની વાર્તાને આધાર “પ્રબંધચિંતામણિ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org