SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પુન પંચાવન વર્ષે– [ પ . થોડું કહી દઈએ. નદિષેણ એ ક્ષત્રિય પ્રકૃતિનો છે, જ્યારે કપિલકુમાર બ્રાહ્મણ પ્રકૃતિન. નંદિઘણુ ક્ષણમાત્રમાં રાજવૈભવ ત્યજી તપ-ત્યાગ તરફ ઢળે છે અને વળી તેમાંથી સૃત થઈ પાછો ભોગ ભણી ભાગે છે. કપિલકુમાર સરસ્વતીની સાધના કરતાં કરતાં વચ્ચે જ એક તરુણી તરફ આકર્ષાય છે અને એ સાધનાને ત્યાં જ જતી કરી ગુરુવાસ છોડી તરુણી સાથે ચાલી નીકળે છે. નંદિ વિશે ભગવાન મહાવીરે ભાખેલું સત્ય સાચું ઠરે છે, તે કપિલકુમાર વિશે વિદ્યાગુરુએ કલ્પેલું ભાવી સાચું પડે છે. નંદિણ ગણિકાના પાશમાંથી એકાએક છૂટી મૂળ ભાગે પાછા ફરે છે, તેમ જ કપિલકુમારનું પણ બને છે. પત્નીના આગ્રહથી ગરીબી નિવારવા રાજકારે દાન મેળવવા જતાં જ્યારે તેને રાજ તરફથી જોઈએ તે માગી લેવાનું કહેવામાં આવે છે ત્યારે કપિલકુમાર – આ માગું, તે માગું, આટલું માગું તેટલું માગું ? એવી અનેક પ્રકારની વિકલ્પજાળમાં સપડાય છે. પણ તરત જ તેની સ્વલક્ષી વીરવૃત્તિ–કહો કે ધર્મવૃત્તિ–પ્રગટે છે અને તે કાંઈ પણ મેળવવાના લેભથી તદ્દન ઊંચે ઊઠી પરમ સંતોષની ભૂમિકા ઉપર જઈ બેસે છે. હવે એને કોઈ વસ્તુ લલચાવી શકતી નથી. આમ જે થોડી ક્ષણે પહેલાં દીનવૃત્તિથી કંગાળ દેખાતે તે જ થોડી પળોમાં સાવ બદલાઈ મનસિ ર તુટે યોગાન . ત્તિ: એવી સામ્ય અવસ્થામાં આવે છે. આમ ક્ષત્રિયપુત્ર નંદિષણનું જેવું પતનોત્થાન જોવામાં આવે છે તેવું જ પતનોત્થાન બ્રાહ્મણપુત્ર કપિલકુમારમાં પણ દેખાય છે. આવાં પતનેત્યાન દ્વારા લેખકે મનુષ્યસ્વભાવનું વાસ્તવ ચિત્ર જ ખેંચ્યું છે. બીજી વાર્તા સંયતિરાજની છે. સંયતિરાજ પણ ક્ષત્રિયપ્રકૃત્તિને છે. એને મુખ્ય નાદ છે શિકારને. તે શિકાર પાછળ એટલે બધે ઘેલું છે કે જાણે તેના જીવનનું તે ધ્યેય જ ન હોય! એની આ હિંસાપરાયણ ચંચળ વૃત્તિ જ એક દિવસ એને સાવ સામે છેડે લઈ જઈ મૂકે છે. તે શિકાર પાછળ, પડી એક ભાગતા મૃગલાને તીરથી વીંધે છે. મૃગલું તીર વાગતાં જ ઢળી પડે છે. લક્ષ્યવેધની સફળતા જોઈ સંયતિરાજ મલકાય તેટલામાં તે તેની નજર સામે નવું જ જગત ખડું થાય છે. જ્યાં એ શિકાર પડ્યો છે ત્યાં જ નજીકમાં એક પ્રશાંત અહિંસક વૃત્તિની સાક્ષાત મૂર્તિ ન હોય એવા યોગીમુનિને ધ્યાનમુદ્રામાંથી ઊતા તે નિહાળે છે. મુનિ મૃગલાના પ્રાણત્યાગથી દુઃખી છે તે બીજી બાજુ તે શિકારને વીંધનાર શિકારીને અજ્ઞાન અને મિથ્યા કૃત્યથી પણ દુઃખી છે. મુનિનું સાત્ત્વિક દુઃખ કલ્યાણુગામી છે. પેલે સંયતિરાજ મુનિના મુખ તરફ જોઈ રહે છે કે એ તપસ્વી શાપ કે ઠપકો તે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy