SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૪૩ - સ્ત્રીઓ વિશે વિચાર કરતાં સમજાય છે કે એ સમયનો સ્ત્રી સમાજ ખૂબ પરતંત્ર હતો. તે એટલે સુધી કે વિષયેની નિંદા કરવી હોય ત્યારે પણ પુરુષની વાસનાની નિંદા ન કરતાં જ્યાંત્યાં માત્ર સ્ત્રીઓની જ નિંદા કરવામાં આવેલી છે. તે સમયે બીજા સમાજની અસરથી જૈન સમાજે પણ કેટલાક એવા નિયમો ઘડ્યા છે જેથી સ્ત્રી અને પુરુષના અધિકારનું સામ્ય તૂટી ગયું છે. જૈન ધર્મમાં સ્ત્રીને સર્વજ્ઞ થવાને અધિકાર છે, મુક્તિ મેળવવાનો અધિકાર છે, એક સ્ત્રી તે તીર્થંકર પણ થયાં છે, ત્યારે જૈન સંપ્રદાય સ્ત્રીને દષ્ટિવાદ નામનું શાસ્ત્ર, જે બધાં આગમમાં મુખ્ય હોઈ વેદ જેવું માન્ય છે, તે શીખવાનો અધિકાર નથી સ્વીકારતો. આમ છતાં પછીના જમાનામાં થયેલા આચાર્ય હેમચંદ્ર સ્ત્રી જાતિની નિંદા કરવામાં મણ ન રાખવા છતાં એમ પણ કહેવું છે કે કાંઈ એકલી સ્ત્રીઓ જ દુષ્ટ નથી. પુરુષો પણ દુષ્ટ, કૂર, કપટી, વિષયી અને જુલમી છે. સ્ત્રીઓ તે પવિત્ર અને સંતપોની માતા છે. તીર્થકરે પણ એની જ કુખે આવેલા છે. સ્ત્રી સમાજ તરફની આ એમની જે તરફદારી છે તે પણ એક જમાનાની અસર છે. જૈન સાહિત્યની વિવાહ અને સ્ત્રીઓ તરફની દષ્ટિ સમજવાને આટલી હકીકત પૂરતી છે. ૧૧. બ્રહ્મચર્યજન્ય સિદ્ધિ અને ચમત્કાર - બ્રહ્મચારી પાસે અનેક વિશિષ્ટ સિદ્ધિઓ હોય છે, એ અનેક જાતના ચમત્કારે કરી બતાવી શકે છે એવી માન્યતા આજ કેટલાય સમયથી સમાજમાં રૂઢ થયેલી છે. આ માન્યતાઓનું મૂળ કેટલીક કથાઓમાં દેખાય છે. બ્રહ્મચરીનું બેલેલું થાય જ, બ્રહ્મચારીના આશીર્વાદથી નિર્ધન ધનવાન થાય, વાંઝણ પુત્રવતી થાય, જેને માથે એને હાથ હોય તેને કદી ક્યાંય પણ નિષ્ફળતા ન જ હોય, બહેરાઓ સાંભળતા થાય, મૂંગાઓ બોલતા થાય, જ્યાં એનાં પગલાં થાય ત્યાં લીલાલહેર જ હોય! આ જાતની અનેક માન્યતાઓને એ કથાઓ પિષે છે; અને સાથે કોઈ સતીના કપાયેલા હાથ સાજા થયા, કેઈ સતીએ કાચે તાંતણે ચાલણ બાંધી કૂવામાંથી પાણી કાઢયું, કોઈ સતીને શૂળીનું સિંહાસન થયું, એ જાતના અનેક ચમત્કારથી ભરેલાં વૃત્તાને પણ રજૂ કરે છે. આથી જ સમાજમાં બ્રહ્મચર્યના પાલન કરતાં પૂજનને અતિરેક થયેલ છે. જેને મોટે ભાગે કોઈ જાતની અહિક કે પારલૌકિક આશા વિના શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા માટે તૈયાર નથી. નામના બ્રહ્મચારીઓ હેશેહોંશે પૂજાય છે. લોકો ઘરે તેમનાં પગલાં કરાવે છે, અને રેગીઓ રેગ મટાડવા, નિર્ધાને ધનવંત થવા, વાંઝિયા પુત્રવાન થવા બ્રહ્મચારી કહે તે કરવા તૈયાર હોય છે. આ સ્થિતિ તે આજકાલ આખા દેશમાં વ્યાપેલી છે. એનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy