________________
૫૪૨ ]
દર્શન અને ચિંતન જૈનોમાં સુપ્રસિદ્ધ દાનવીર જગડુ વિશે નીચેની વાત એના ચરિત્રમાં નોંધાયેલી છે ?
શ્રીમાન જગડુને પિતાની સ્ત્રી યશોમતીથી પ્રીતિમતી કન્યાને જન્મ થશે. તે કન્યાને તેણે (લગ્નને સમય આવ્યો જાણી) એક સારે દિવસે યશોદેવ નામના પુરુષને પરણાવી, પણ તેનું પાણિગ્રહણ કર્યા પછી તક્ષણ તે મૃત્યુ પામ્યો. ત્યારપછી સ્વજ્ઞાતિના બુદ્ધિમાન અને વૃદ્ધપુરુષોની અનુમતિથી પિતાની દીકરી એક બીજા વરને તે આપવા તૈયાર થયો, ત્યારે બે કુળવાન વૃદ્ધ અને ચતુર વિધવાઓ પુષ્કળ શૃંગાર સજીને તેને આ પ્રમાણે સ્પષ્ટ કહેવા લાગી–જે તું તારી વિધવા પુત્રીને માટે વર ખોળ હોય તે હે શ્રીમદ્ ! અમારે વાસ્તે પણ વરની શોધ કરજે.” એ શ્રીમાળ વંશના ભૂષણરૂપ જગડુ તે બે સ્ત્રીઓનાં એવાં બોધક વચને સાંભળીને મનમાં લજજા પામે અને પછી પુત્રીના શ્રેય માટે કૂવા, વાવ આદિ પુણ્યનાં કાર્યો કરાવવા લાગ્યો.”
–ખખરનું જગડુચરિત્ર, પૃ ૪૦-૪૧ આ ઉપરથી જૈન સાહિત્યની વિધવાવિવાહ પ્રત્યેની દષ્ટિને આપણે સમજી શકીએ છીએ.
જૈન કથાઓ વાંચતાં એમ પણ જણાય છે કે જેમાં અને જૈનેતરમાં બહુવિવાહ ખૂબ પ્રચાર પામેલ હતા. સ્ત્રીઓ સમ્પત્તિ જ મનાતી. એટલે જેને અધિક સ્ત્રીઓ તે અધિક પુણ્યશાળી, અધિક ભાગ્યવાન. ચક્રવર્તીને ચોસઠ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલા છે અને સાથે કહેવું છે કે ચક્રવર્તીને એટલી સ્ત્રીઓ હેવી જ જોઈએ. તેથી વધારે ભલે હોય, પણ પછી તે ચક્રવતીની મર્યાદાને અણછાજતું લાગે છે. એ પ્રમાણે વાસુદેવને બત્રીસ હજાર સ્ત્રીઓના પતિ તરીકે વર્ણવેલ છે. ત્રણ તીર્થકરે ચક્રવતી હતા, તેમને પણ પ્રત્યેકને ચોસઠ ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. એ જ હકીકત આજ પણ એમની સ્તુતિ કરતાં ગાવામાં આવે છે.
કુંઅરિ લેવા કરઈ ઉપાય મંત્રિ ગુરૂનઈ વણિક પઢમ જિસેસર આદિનાથિ જે કીધઉ ઈઈ. પૂરવ રીતિ ન લોપીઈ એ સંગહણું કી જઈ
પૂરવલા ભવ તણુઈ પુણિય એ વાત જ સૂજઈ.' રાસકાર પાસચદે પણ આ જ પ્રમાણે ગાયેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org