SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ બ્રહ્મચર્યવિચાર [ ૫૪૧ દેવજીને છે. તેઓ એવી સ્ત્રીને પરણેલા કે જેને પતિ મરી ગયેલું. આ વિવાહને પ્રાચીન વ્યાખ્યાકારે એ બહુ રેચક શબ્દોમાં, પ્રસન્નભાવે વર્ણવેલે છે. બીજો પ્રસંગ ભ. મહાવીરના એક ગણધરનો છે. તેમાં એમ આવે છે કે છઠ્ઠા ગણધર મંડિતપુત્ર અને સાતમા ગણધર મૌર્યપુત્ર એ બનેયની માતા એક હવા છતાં તેમનાં ગાત્રે જુદાં જુદાં છે. તેનું કારણ એમ બતાવવામાં આવ્યું છે કે તે બનેનો પિતા જુદા જુદા છે. આમ તો ત્યારે જ બની શકે કે એક બાઈ એકવાર પરણી હોય અને એને પુત્ર થયે હોય, પછી તે જ બાઈ રાંડ્યા પછી ફરી પરણે અને પુત્ર પણ થાય. આ પદ્ધતિ જ વિધવાવિવાહની પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશે સત્તરમા સૈકાના ટીકાકાર શ્રી વિનયવિજયજી એમ લખે છે કે—કાઈ દેશમાં એવી પણ પ્રથા છે કે એક પતિ મર્યા પછી બીજો પતિ વરી શકાય, એમ વૃદ્ધ પુરુષો કહે છે.” વાચકોએ યાદ રાખવું જોઈએ કે એ બન્ને ગણધરે વૈદિક બ્રાહ્મણ હતા. ત્રીજી બાબત ગુજરાતના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાળ તેજપાળને લગતી છે. તેમના રાસના કર્તા શ્રી લક્ષ્મીસાગરસૂરિ અને પાસચંદ્ર સૂરિ એ બન્ને આ વિશે આ પ્રમાણે જણાવે છે – પિરવાડ આસરાજ ગર્ભશ્રીમંત હતો, પણ હવે તે નિર્ધન છે. તેથી તેણે પોતાના વતન પાટણને છોડી ભાલાસણમાં આવીને નિવાસ કર્યો છે. માલાસણમાં પિરવાડની જાતને આભૂશાહ નામનો શેઠ છે. તેને કુંવરી કરીને એક પુત્રી છે, પણ તે દુદેવે બાળપણમાં જ રંડા પામેલી છે. એ બાળવિધવા ધર્મનિયમમાં પિતાનો સમય વિતાવે છે. એકવાર હરિભદ્રસુરિનું વ્યાખ્યાન સાંભળવા તે ઉપાશ્રયે ગઈ. તેને જોઈને સામુદ્રિક શાસ્ત્રના પારગામી તે આચાર્ય વિસ્મય પામ્યા. તે વખતે ત્યાં આસરાજે ગુરુને વિસ્મયનું કારણ પૂછયું. ગુએ કહ્યું કે આ બાળાની કૂખથી સૂર્યચંદ્ર જેવાં બે પુત્રરત્ન નીપજવાનાં છે. એ સાંભળીને એનો કુંવરી સાથે પરણવાનો વિચાર થયો. એ જાણતો હતો કે કુંવરી તે બાળવિધવા છે, એથી જ તેનું મન સંકોચાયું, પણ ઋષભદેવના દાખલાથી પિતાના મનનું સમાધાન કરી તેણે કુંવરી સાથે ઘરવાસ કર્યો અને પૂર્વપ્રથાનું પાલન કર્યું. ૨૯ ર૭. જુઓ કલ્પસૂત્રની સુધિકા ટીકા પ્ર. ૧૪૭. ૨૮. , , પૃ. ૧૫૯. 'अनिषिद्धं च तत्र देशे एकस्मिन् पत्यौ मृते द्वितीयपतिवरणमिति वृद्धाः । ૨૯. “હરિભદ્રસૂરિઇ ઈમ કહિઉં એ એહની કુંખે રચણ; બે આ પુત્ર અ૭ઈ ભલા એ શિસૂર સમાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy