________________
પ૪૦ ]
દર્શન અને ચિંતન વિવાહિત થનારી જોડીઓની પ્રજા નિર્બળ, રેગી, જડ અને અલ્પજીવી થાય છે. પ્રવચનસારોદ્ધારના કર્તા શ્રી નેમિચંદ્ર ૨૫ કહેલું છે કે વિવાહિત થનાર વરનું વય પચીસ વર્ષનું અને કન્યાનું વય સોળ વર્ષનું હોવું જોઈએ. જે એમ હોય તો જ પ્રજા બળવાન, વીર્યવાન, આરોગ્યવાન અને બુદ્ધિમાન થઈ શકે છે. મૂળ આગમાં વિવાહમર્યાદા વિશે સ્વતંત્ર વિચાર કશો જ નથી, છતાં બ્રાહ્મણધર્મની પ્રબળ અસરથી પ્રેરાયેલા દક્ષિણ અને ઉત્તર હિંદુસ્તાનના બને સંપ્રદાયના આચાર્યોએ જૈન દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને વિવાહમર્યાદા વિશે ઘણું ઘણું લખી નાખ્યું છે. વરકન્યાની પરીક્ષા, વિવાહને વિધિ, એને અંગે નારી પરીક્ષા, પુરુષપરીક્ષા વગેરે કામસૂત્રોનાં જેવાં પ્રકરણે પણ લખી નાખ્યાં છે. તેમાં કેટલીક બીભત્સ વાત પણ આવેલી છે.
- હવે વિધવાવિવાહ વિશેની આ લોકેની દૃષ્ટિને આપણે જાણી લઈએ. વિધવાવિવાહ નિંદનીય છે કે પ્રશંસનીય એવું તે ક્યાંય આવતું જ નથી; પણ બેત્રણ પ્રામાણિક કથાઓમાં વિધવાવિવાહને પ્રસંગ આવેલું છે, છતાં તે તરફ ઘુણા તે નથી બતાવવામાં આવી. પહેલે પ્રસંગ ભગવાન ઋષભ૨૪-૨૫. ફૂfોકશા સ્ત્રી પૂffોન અT I
शुद्ध गर्भाशये मार्गे रक्ते शुक्रेऽनिले हृदि ॥ वीर्यवन्त सुतं सूते ततो न्यूनान्दयोः पुनः । रोग्यल्पायुरधन्यो वा गभों भवति नैव वा ॥
--સ્થાનાંગસૂત્ર ટકા પ મું સ્થાન, ઉ. ૨, પૃ. ૩૧૩. ૨૬, જુઓ વિવેકવિલાસ તથા વૈવણિકાચાર. નૈવણિકાચારમાં સ્ત્રીસમાગમ માટે અને સ્ત્રીયોનિના પૂજન માટે પણ વિધિ બતાવ્યો છે કે તે આ છે :
'भुक्तवानुपविष्टस्तु शय्यायामभिसम्मुखः । संस्भृत्य परमात्मानं पन्या जंधे प्रसारयेत् ॥ अलोमशां च सदुचामनार्दा सुमनोहराम् ।
योनि स्पृष्टा जपेन्मत्र पवित्र पुत्रदायकम् ।। ॐ ही क्ली ब्लं योनिस्थे देवते मम सत्पुत्र जनयस्व अ. सि. आ. उ. सा. साहा इति मन्त्रेण गोमयगोमूत्रक्षीरदधिसर्पिःकुशोदकैः योनि संप्रक्षाल्य શ્રી ધરૂમઝલૂચિનુ ફર્ચાત્ ” ઈત્યાદિ પૃ. ૪૨૯.
વૈદિક આચારમયૂખમાં સ્ત્રી ચને નામે આવી જ વાત લખેલી છે. પ્ર. ૮૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org